SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ SuÏíÏtεEURS સગનભાઈ ધાર્મિક--પ્રવૃત્તિના વધુ હિમાયતી, હા ખાલકમાં આવી દર્દીની વિષમસ્થિતિએ પણ સામાયિક કરવા માટેની તમન્નાથી અંતરગ રીતે વધુ પ્રસન્ન થયા. દવા અને શારીરિક–દેખરૈખનું કામ જમનાબહેને વતઃ ઉપાડી લીધેલ હોઈ તે ખાખતમાં મગનભાઈ વચ્ચે માથું ન મારતા, એક વખત જમવા ટાણે ભગત તરીકે પ્રખ્યાત મગનભાઈ એ વ્યાખ્યાન પછી પણુ દેવદર્શન અને સામાયિક આદિમાં ઘણું માડુ કરેલ હોઈ જમનાબહેન માનસિક રીતે કાંઈક અસ્વસ્થ થયેલ, તે દરમિયાન હેમચંદભાઈની ગળે લગાડવાની દ તૈયાર કરેલી, પણ હેમચંદભાઇ ખાપુજી હજી નથી આવ્યા તે। દહેરામાં જઈ નવકારવાળી ગણું ? ' એમ કરી ઘર સામેના શ્રી અજીતનાથ–પ્રભુના દહેરે નવકાર-મન્ત્રના જાપ કરવા લાગ્યા. : આ વખતે ભગતની ધાર્મિ`ક-પ્રવૃત્તિના અતિરેકને વિકૃત-રૂપે જમનાબહેને મગજમાં ગોઢવેલ, જેથી માનસિક-અસ ંતોષ 'ધવાયા. અધૂરામાં પૂરૂ ‘ખાલક હેમચ'દ પણ બાપના પગલે ભગત થતા જાય છે, એના ગળે લગાડવા દવા તૈયાર થઈ ઇ છે, કોણ જાણે કયાં ગયા છે?' આદિ માનસિક 'ધવામણુમાં ભાનભૂલેલા જમનાબહેને “આંસુ! આ હેમુ!” એમ ઝૂમેા પાડી અંતરના અસતાષને અયેાગ્ય રીતે વ્યક્ત કરવા પ્રયત્ન કર્યા. માતૃભક્ત-હેમચંદ વાત્સલ્યભરી–માના મમતાના આષણને માન આપી વ્યાવહારિક રીતે જરૂરી–પ્રયાજન સિવાય માતા કદી આવી એમાકળી ન થાય માટે કંઈ જરૂરી કામ હશે! એમ ધારી દહેરાસરમાંથી તુરત દોડતા ઘરે આવ્યા. જમનાબેન એટલા ઉપર કપડાં સુકવતા હતા. હેમચંદ દોડતા ઘરે આવ્યા, એટલે જમનાબેને પણ ઘરમાં આવી હેમચંદને દવા માટે કયારથી રા . જોવા બદલ ઠપકો આપતાં ભગતની ધાર્મિક-પ્રવૃત્તિના અતિરેક બદલ ધુંધવાતા પુણ્યપ્રકોપક એવી પળના કારણે કાલ–ઝાળ ગુસ્સારૂપે પરિણમ્યા. જેથી બાળક હેમચંદના નાજુક ગાલ ઉપર જોરથી માચા મારી દીધા. પરંતુ પુણ્યવાન–જીવાને અનિષ્ટ-પ્રક્રિયા પણ મંગળ રૂપ પરિણમે છે, તેથી જમનાબહેનની ગુસ્સા—ભરી પ્રવૃત્તિમાં મારેલ તમાચાથી બરાબર ગુમડા ઉપ એવી તીવ્ર અસર થઇ કે વિવિધ ઉપચારોથી પાકીને તૈયાર થયેલ પરૂ અને અશુદ્ધ લેાહી વગેરેનો પિંડ ઝપાટાખધ લેાચા જેવુ બહાર નીકળ્યુ. આવી ઉગ્ર–વેદના અને વિના અપરાધે જોરદાર તમાચા છતાં ચરિત્રનાયકશ્રીએ ઉદાત્તપ્રકૃતિના કારણે કારા પણ કર્યા વિના ધીરભાવે બધું સહન કર્યું. હકીકતમાં ગુમડા પર કે પાડેલી જગ્યા ઉપર સામાન્ય રીતે અજાણતાં થઈ ગયેલ હાથના સ્પર્શી પણ મહાપીડાકારક નિવડે, તેા પછી ઈરાદાપૂર્વક સજાના ધ્યેયથી આવેશમાં ભાનભૂલેલ દશામાં જોરદાર મારેલ તમાચા ભાવિયેાગે નાકજગ્યા ઉપર આવી રહે, ત્યારે કેટલી અસહ્ય પીડા થાય ? આ બા૨ ભક ૧.
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy