SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ 2012/22 પૂ. અવેરસાગરજી મ. ના પત્ર અઠવાડીયા પછી આવ્યે. જેમાં જણાવેલ કે— “ જિનશાસનની મર્યાદા પ્રમાણે શ્રાવક કુલની સફલતા ખરેખર સર્વાંવિરતિધની પ્રાપ્તિમાં છે, તે માટે તમારી ઉદાત્ત ભાવના અને તે અંગે નવજાત બાળકના ગ્રહયોગેાની અનુકૂલતાના નિમિત્ત-કારણના સહકાર દ્વારા સ`વિરતિને જલ્દી પ્રાપ્ત કરવાના મનેરથી અભિનંદનીય છે. હકીકતમાં અમાસના જન્મેલ બાળÈા શિષ્ટ- વ્યવહારના ધેારણ મુજબ વધુ પ્રભાવશાલી થાય છે. તેમાં પણ તે દિવસે રવિવાર, પુષ્યનક્ષત્ર અને સિદ્ધિયાગ છે. આવા શુભયાગમાં થયેલ જન્મ બાળકની ભાવિ વિશિષ્ટ મહત્તા સૂચવે છે. વધુમાં કરાશિમાં ચંદ્રની સાથે `, મુધ અને શુક્રના યોગ તથા મકરને શિન એટલે સપ્તમ-સ્થાને પૂર્ણ દૃષ્ટિવાળા ગ્રહના પરસ્પર પુરક બળવાળા યેાગ બાલકની અનેક જીવાને ઉપકારિતા તથા સંસારના ચાલુ ચીલે સ્વપરની ચાલવાની ક્ષમતા દૂર કરી શકે તેવા પ્રબલ ચેગ જણાય છે. વળી જયોતિષશાસ્ત્રના બંધારણ મુજબ એમ પણ જણાય છે કે—એ ગણીશ વર્ષોંની શિનની મહા દશામાં ચતુર્થાંશ ભાગ વ્યતીત થયા પછી આ બાળકનો જન્મ થયે। હાવાથી શાસનના વિશિષ્ટ-પ્રભાવક થાય એ નિ:સંદેહ જણાય છે. વધુ તા-કેાઈ સારા જાણકાર–યાતિષીના સંપર્ક સાધી ગ્રહોની દૃષ્ટિ અને સ્થિતિ તથા ભાવગત મહત્વ આદિના ધેારણે બાળકના ભાવિ શુભેયને જાણવા પ્રયત્ન માટે ધ્યાનમાં લેશે. સાધુજીવનમાં ગૃહસ્થના સંસારીજીવનને જ્યોતિષ આદિના માધ્યમથી સંપર્ક દેષાવહ અને છે. તેમ છતાં તમારી શાસનની તીત્રનિષ્ઠા અને સંયમ–સ્વીકારની સુદૃઢ-ભાવનાના ધેારણે તમારી માનસિક સ્થિતિના મહત્વને ધ્યાનમાં રાખી આપવાદિક ધોરણે બાળકની ભાવિ શાસન–પ્રભાવકતાને જણાવવા આટલું જણાવેલ છે તે ખાસ ધ્યાન રહે.’ પરમેાપકારી પૂ. ગુરૂદેવશ્રીના પત્ર વાંચી રોમાંચિત બનેલ મગનભાઈ ઘડીભર બાલક હેમચ’દના ભાવી વિશિષ્ટ-જીવનની કલ્પનાના આધારે જાણે સંસારના કારમા ખંધન અત્યારે વણસી રહ્યા છે—તેવા અનુભવ કરી પોતાની જાતને ધન્ય માની રહ્યા. પૂ. ગુરૂદેવશ્રીની સૂચના મુજબ સારા અનુભવી, ગણિતજ્ઞ-જ્યાતિષીનુ માર્ગદર્શન મેળવવા માટે ગાંધી–કુટુંબના નિયત બાંધેલ જોષી મહારાજ-કે જેમની પાસે અવારનવાર લગ્નાદિના મુહૂર્તો જોવા રાખવાની કુલપરંપરા હતી-ના સ'પર્ક સાધ્યા. સવાપાંચ રૂપિયા અને શ્રીફળ સામે ધરી નવજાત–બાળકના ભાવિની ચાક્કસ જાણકારી માટે જિજ્ઞાસા વ્યક્ત કરી. પંડિતજીએ પણ બાળકના જન્મ-સમય ચાક્કસ રીતે નાંધી, અઠવાડીયા પછી આવવા જણાવ્યું. પણ મગનભાઇએ બાળકના ભાવીનું સ્પષ્ટ ચિત્ર ચાક્કસ રીતે જાણવાના આશયથી ટપકું બનાવવાના બદલે વિગતવાર હેાના સ્પષ્ટીકરણ ગણિત આદિ સાથે મેટી જન્મપત્રી અનાવવા પડિતજીને આગ્રહ કર્યાં. 6.qxd G G ત્ર ૧૫
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy