________________
શિક્ષિત ) 2002@ી
બાળકને નમાવી શ્રી ચિંતામણી દાદાના દહેરે લઈ જઈ ડવણ- જળને ઉપગ બાળકના માથે–આંખે કરાવી ગëલી કરવા સાથે બાળકના હાથે ભંડારમાં સવા રૂપિયે નંખાવ્યો.
પછી ઉપાશ્રયે આવી ચાતુર્માસ બિરાજમાન પૂ. મુનિશ્રીના ચરણોમાં વંદના કરાવી શ્રી આચારાંગસૂત્રની પ્રત હતી, તેના પર સવાપાંચ રૂપિયાથી જ્ઞાનપૂજન કરાવી વાસક્ષેપ નંખા, ગુરૂમહારાજને કહ્યું કે “શાસનના ચરણે બાળક પોતાનું જીવન સમર્પિત કરે તે વાસક્ષેપ નાંખો જેથી અમારા બધાનું કલ્યાણ થાય !!!”
ગુરૂદેવે પણ શ્રીવર્ધમાનવિદ્યા ગણવા સાથે વિધિપૂર્વક વાસક્ષેપ કર્યો, ગુરૂદેવે ગંભીર સ્વરે “
fથrrargiા દો” કહ્યું, ત્યારે મગનભાઈએ બાળકના વતી તત્તિ બેલ્યા પછી ઘરે આવી પિતાના પરમારાધ્ય પૂ ઝવેરસાગરજી મ. નું નાનું તૈલચિત્ર પિતાની ભાવનાને ચઢતી રાખવા ઘરમાં સામાયિકની ઓરડીમાં હતું, ત્યાં બાળકને લઈ જઈ પૂ. ઝવેરસાગરજી મ. ના ચિત્રને બાળકના માથાથી સ્પર્શ કરાવી. “દિકરા! આવા ગુરૂનું શરણું લઈ શાસનને હીરલો બનજે !' એવી ભાવના પૂર્વક સાત નવકાર મહામંત્ર ગયા.
પછી મગનભાઈ જાણે કંઈક મહત્ત્વની વસ્તુ મેળવી હોય તેમ હાદિક રીતે ખૂબ પ્રસન્ન થયા.
* વળી મગનભાઈએ મેહના સંસ્કારોને વ્યવસ્થિત રીતે કાબૂમાં લેવા શ્રી વીતરાગ પ્રભુની ભક્તિના વિશિષ્ટ કાર્યક્રમ રૂપે ઘરની સામેના શ્રી અજિતનાથ પ્રભુના દહેરે દસ વાગે ઠાઠથી સ્નાત્ર–મહત્સવ ગઠળે.
જેમાં મગનભાઈએ અને જમનાબહેને બાળકના નિકટના સ્વજન-સંબંધીઓને તેડવા સાથે સ્નાત્ર-પૂજાની પંચામૃત, કુસુમાંજલિ અને ફળ-નૈવેદ્ય વગેરેની ભવ્ય સામગ્રી એકત્રિત કરી, દસ વરસથી નીચેના બાલક-બાલિકાઓને સુંદર પૂજા–વસ્ત્રોમાં તૈયાર કરી શાસ્ત્રીય વિધિ પ્રમાણે કુસુમાંજલિ દિકુમારિકા મહત્સવ તથા ચોસઠ ઇંદ્રોએ કરેલ મેરૂપર્વત પર જન્માભિષેક આદિની પદ્ધતિ જાળવવા સાથે સ્નાત્ર પૂજા ભવ્ય રીતે ભણાવી.
ત્યારબાદ દુહા, કાવ્ય અને મંત્ર બોલવા સાથે વિશિષ્ટ–સામગ્રીથી પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા કરી પછી પાંચ-દીવાની આરતી અને મંગળદી લૂણ ઉતારવાની વિશિષ્ટ કિયા જમનાબહેન પાસે કરાવી સંસારના પરિભ્રમણમાંથી છૂટવાના ભાવ સાથે ઉતાર્યો.
પછી બાળક હેમચંદને શુદ્ધ-વસ્ત્રો પહેરાવી પ્રભુ સમક્ષ લાવવામાં આવ્યું.
બાલકને જમનાબહેન ખોળામાં રાખી હાથમાં કળશની અખંડધારાથી શાંતિકળશની શરૂઆત કરી, મગનભાઈએ બાળક બરાબર સ્પષ્ટ રીતે સાંભળી શકે તેવા શુદ્રોચ્ચારપૂર્વક મેટી શાંતિ બોલવાની શરૂઆત કરી.