SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ TUŽIŽVEEARS થોડા દિવસ પછી પર્વાધિરાજની પધરામણી થઈ, શ્રા. વદ ૧૨ના મંગળ અડ્ડાઈ-ધરના દિવસે મગનભાઈએ આઠ દિવસના પૌષધ માટે ઉપાશ્રયે પ્રયાણ કર્યું. જમનાબહેને પણ વ્યાવહારિક-રીતિએ ૨૭મા દિવસનું ત્રીજુ સ્નાન ગઈકાલેજ કરેલ હેઈ સૂતકના કારણે દહેરાસર ઉપાશ્રયમાં જવાની મર્યાદા ન હંઈ બને તેટલું વધુ શ્રી નવકારમહામંત્રનું માનસ-રસ્મરણ અને ધાર્મિક-વિચારણા દ્વારા પર્વાધિરાજની આરાધના સફળ રીતે કરવા નિરધાર્યું, અને પર્વાધિરાજના દિવસે માં નવજાત બાળકના જીવનમાં વધુ સારા સંસ્કાર કેળવાય તેવી મંગળ-ભાવના જમનાબહેનને થઈ. મગનભાઈને આ સમાચાર મળ્યા જેથી ખૂબ આત્મસંતોષ થયે કે– દેવદુર્લભ માનવજીવનની સફળતા સર્વવિરતિ ધર્મના સ્વીકારમાં પૂ. ગુરૂદેવશ્રીએ જે સચોટ પણે સમજાવી છે, તે માટે અનુકુળ વાતાવરણનું ઘડતર ખરેખર દેવ-ગુરૂ કૃપાએ થઈ રહ્યું છે. નવજાત બાળકે ખરેખર કઈ મહાપુરૂષને જીવ લાગે છે, જેના ગર્ભકાળથી જ મારા વૈરાગ્ય-માર્ગમાં પ્રબળ અવરોધક શ્રાવિકાના માનસનો અજબ પલટો થવા પામ્યો છે. હજી પણ તે શ્રાવિકા તરીકે બાળકમાં શુભ-સંસ્કારોનું સિંચનના ઉદાત્ત માર્ગે જવા પ્રયત્નશીલ છે. આ બધે અચિંત્ય-શક્તિસંપન્ન દેવ-ગુરૂની કૃપાને વરદ પ્રતાપ છે.” એટલે મગનભાઈએ પણ વ્યવસ્થિત રીતે ચોસઠપ્રહરી પૌષધ, અઠ્ઠાઈધરને ઉપવાસ વડા-કલ્પને છઠું અને સંવત્સરીને અઠ્ઠમ કરી શાસનની સેવા માટે વિશિષ્ટ બળની કેળવણી અને નવજાત-શિશુના ધાર્મિક--ઘડતરની ઉદાત્ત મંગળ-કામના કરી. આમ કરતાં ભાદરવા સુદ દશમના મંગળદિને કુલવૃદ્ધાઓએ મંગળ ઉબટન (ચણ કે મગના આટામાં સરસીયું તૈલ અને ગુલાબ જળ આદિ સુગંધી દ્રવ્ય નાંખી તૈયાર કરેલ સુગંધી વિલેપન) જમનાબહેન તથા નવજાત-શિશુના આખા શરીરે હલકી–માલીશ કરવા રૂપે લગાડી અશુચિ-વારણની છેલ્લી પ્રક્રિયાને અમલમાં મુકવારૂપે કુલાચાર પ્રમાણે ચાલીશ દિવસનું ચોથું સ્નાન મંગળકારી તીર્થોદક, નિવાદક, સંગમેદક આદિથી મિશ્ર શુદ્ધ જળથી કરાવ્યું. *પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાશ્રી મગનભાઈ ધમમાં ચુસ્ત, દઢશાસનાનુરાગી, તત્વજ્ઞાની અને પ્રબળ વૈરાગી બની શકેલ તેમાં સૌથી વધુ ફાળે મુનિવર્ય શ્રી ઝવેરસાગરજી મ., (પૂ. ચરિત્રનાયકશ્રીના ભાવી ગુરૂ) જેવા સમર્થ આગમ ધુરંધર, વાદિવિજેતા, શાસન વિપીઓને હંફાવવામાં શુરવીર મહામુનિને છે કે જેમના વારંવાર સં૫ર્ક, પત્રવ્યવહાર આદિથી મગનભાઈનું ધાર્મિક જીવન ઘડાયેલ કે જેના પરિણામે લોકોમાં “ભગત'ના ઉપનામથી તેઓ પ્રખ્યાત થયેલા. અહીં પૂ. “ગુરૂદેવ” શબ્દથી તે પરોપકારીને મગનભાઈએ યાદ કર્યા છે. આ ગ5મીણ E) ઈ
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy