SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ની કે ન KESÄMÖVZEMRE. ટ વિખ્યાત, ચુસ્ત ક્રિયાનિષ્ઠ, વિવેકી, ધાર્મિકજનેમાં અગ્રેસર અને સાગરશાખાના ઉદાત્ત પ્રભાવક–વાદીકેશરી–વિદ્વદુ ધુરંધર પૂ. મુનિ શ્રી ઝવેરસાગરજી મ. ના સંપર્કથી આગમિકજ્ઞાન, શાસનમર્યાદા, શાસ્ત્રીય રીત-રિવાજે આદિથી ગીતાર્થ શ્રાવકતુલ્ય શેઠ શ્રી મગનભાઈને ત્યાં શ્રાવિકા–જીવનના સુયોગ્ય સંસ્કારોથી વાસિત શ્રી જમનાબહેનની કુક્ષિથી પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મને સુગ કુદરતે જાણે ખૂબજ દેશ-કાળને અનુરૂપ ગઠવાઈ ગયાનું આજે વિવેકદષ્ટિથી વિચારતાં સમજાય છે. ધર્માત્મા મગનભાઈ સંસારના વૈરાગ્યભાવથી સુવાસિત બની પૂ. ઝવેરસાગરજી મ.ના નિકટના પરિચયમાં રહી તાત્વિકદષ્ટિની કેળવણમાંથી જન્મેલ ભવનિર્વેદના ફળ સ્વરૂપે જિનશાસનની સફળ આરાધનાના ઉચ્ચ પ્રકાર રૂપ સર્વવિરતિના પંથે જવા માટેની તમન્નાવાળા હતા, અવરોધરૂપ શ્રાવિકાની વિચારધારા હતી. તે ગર્ભસ્થ ઉદાત્ત પુણ્યપ્રકૃતિવાળા જીવના પ્રભાવે છેલા ૭-૮ મહિનાથી અવર્ણનીયરીતે પલટાયેલી જોઈ મગનભાઈને વૈરાગ્યના પંથે જવા માટે માર્ગ મોકળે થતાં લાગ્યો. આદર્શ આરાધક બનેલ જમનાબહેન પણ સ્વપ્નમાં ચૌદ મહાસ્વપ્નમાંના બીજા સ્વપ્નરૂપ વૃષભને જોયા પછી દિન-પ્રતિદિન ઉત્તરોત્તર ધર્મની ભાવના, વિરતિના પંથે ધપવાની ઉદાત્ત પરિણતિ, આમિક અપૂર્વ–ભકિત અંતરના ઉમળકા સાથે કરવાની તમન્ના આદિથી પિતાના ગર્ભમાં હમણાં હમણું જાગેલી આગમધર મહાપુરૂષની જરૂરીયાતને પૂર્ણ કરનાર પુણ્યાત્મા આવ્યો હોય તેમ પાકી ધારણ થવાથી ખૂબ આનંદેલ્લાસમાં ગરક થઈ રહ્યા. આવા આનંદલાસના અદ્દભુત વાતાવરણમાં અસાડ વદ ૮ લગભગ તબિયત જરા નરમ થતાં ઘરે મગનભાઈ એ જાણકાર બાઈઓની સેવા-સુશ્રુષાની પૂરતી સગવડ દેશી ઓસડની તકેદારી સાથે રાખી. અસાડ વદ ૧૩ની રાત્રે જમનાબહેનને ૧૦થી૧૨ના ગાળામાં પેટમાં જમ્બર ચૂંક જેવું થવા લાગ્યું, જાણકાર બાઈઓએ દેશી એ સડન વિલેપન દ્વારા રાહત કરી. આવા પ્રસંગે આપવાદિક માર્ગે મગનભાઈએ જમનાબહેનને દુવિહાર પચ્ચકખાણ કરવાની વાત સાંજના કરેલ, તદનુસાર રાત્રે દવાનો ઉકાળો લેવા માટે ગર્ભસ્થ મહાપુરૂષની માતા તરીકેના બહુમાનથી સૂચના કરી. પણ ગર્ભસ્થ ઉદાત્ત પુણ્ય પ્રકૃતિશાળી–આત્માના પુણ્ય પ્રતાપે જમનાબહેને દઢતા પૂર્વક કહ્યું કે “દેવગુરૂ-કૃપાએ બધું ઠીક થશે, મેં તે સાંજે તિવિહારની જ ધારણ રાખી છે,
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy