SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ deco સ્વપ્નદિવસના નવલા પ્રભાતે ધર્મનિષ્ઠ પતિદેવના શ્રીમુખથી વિશિષ્ટ-પુણ્યવાન–વ્યક્તિ ગ`માં આવ્યાની સૂચના રૂપે મહામંગલકારી વૃષભના સ્વપ્નના ફલાદેશ અને તેની માર્મિક્તા સાંભળી મહાપાપના ઉચે મળતા સ્ત્રીના અવતારમાં શ્રાવિકા રૂપે વિશિષ્ટ - મહાપુરૂષની માતા મનવાના સૌભાગ્યના વિચારથી જમનાબહેન ખૂબ પ્રસન્ન થયાં. ? P ગઈકાલે સાંજે દૈવસિક–પ્રતિક્રમણમાં આઠ–પ્રભાવકની સજઝાય સાંભળ્યા પછી પ્રથમ પ્રભાવક તરીકે વર્તીમાન કાલે પતિત-પાવન જિનવાણીના રહસ્યાને સમજી, તેના ગૂઢા ને ખાળજીવાને સમજાવી મેાહના ઉન્માથી ખસેડનાર મહાપુરૂષની અંતર્દષ્ટિથી કરાતી શેાધના ઉકેલ જાણે મલી ગયા હોય, તેમ જમનાબહેન વૃષભના મંગલકારી સ્વપ્નને ખૂબ સારી રીતે વધાવી રાઈ-ડિકમણુ કરી સ` પ્રથમ ઘરની પડખે આવેલ શ્રી વાસુપૂજ્ય પ્રભુના જિનાલયે, પછી ઘરની સામે રહેલ શ્રી અજિતનાથ પ્રભુના (ચૌમુખજી) દહેરાસરે દશન કરી શ્રી (ચંતામણી દાદાના દહેરે જઈ મંગલ-સ્વપ્નની વાત પ્રભુની આગળ વ્યક્ત કરી જિનશાસનની વર્તમાન પરિસ્થિતિમાં આગમિક ગભીર અર્થીના જ્ઞાતા મહાપુરૂષની ખામી ઝટ દૂર થવાની મંગલ-કામનાપૂર્વક પરમ-પ્રભાવિક શ્રી ચિંતામણી દાદા આગળ શ્રીનવકાર મહામત્રને જાપ કર્યાં. ઘેર આવી સામાયિક કરી ભરહેસર-બાહુબલી” ની સજઝાય ત્રણવાર ગણી દેવહિંગણી ક્ષમાશ્રમણનું જીવનચરિત્ર વાંચવાની પ્રેરણા થઇ, તે વાંચી હૈયામાં આવા મહાપુરૂષની હાલમાં જરૂર છે કે જે વીતરાગ પરમાત્માના શ્રુતજ્ઞાનના આંખા પડી રહેલ દીવાની વાટને સ ́કારી શૈલપૂત્તિ કરી જાજવલ્યમાન પ્રકાશ પાથરે, આદિ મંગલ-ભાવનાએ ભાવી જીવનમાં ધન્યતાના અવણૅનીય આનંદના અનુભવ જમનાબહેને કર્યાં. ટૂંક–સમયમાં શાસનપતિ પ્રભુ મહાવીર પરમાત્માના નિર્વાણ કલ્યાણકની આરાધનાના અવસરે શ્રુતજ્ઞાનના પ્રતીક રૂપે દીપક પ્રગટાવવાની ક્રિયામાં જમનાબહેનને ખૂબજ રસ પડયા. પ્રતિવષ રાખેતા મુજબ ઘર આંગણે દીવા પ્રગટ કરવાની પદ્ધતિમાં આ વર્ષે જાણે ગાઁસ્થ ખાલકની પ્રેરણાથી કે ગમે તે કારણથી જમનાબહેનને આ દુઃષમકાલમાં ખરેખર મિથ્યાત્યાદિના ગહન અંધકારના પડલ ભેદી સન્માર્ગે આગળ ધપવા માટે કેવલજ્ઞાનીના વિરહે સ્વપરપ્રકાશક તરીકે શ્રુતજ્ઞાન જ પરમાલઅન રૂપ છે, આવી-આવી કેટલીક ઉદાત્ત ભાવનાએ ભાવવા સાથે ઘીના દીવાએ નવપદજીના ધેારણે અને વાંક તરીકે નવની સખ્યામાં પ્રગટ કર્યાં. પછી પાંચ પરમેષ્ઠીઓ જીવનની શુદ્ધિના કારણભૂત છે—એમ કરી નવ–નવની પાંચ શ્રેણિએ ઘીના દીપકની કરી વચ્ચે સ્વસ્તિક કરી રૂપિયા, શ્રીલ ચઢાવી ફરતા નવ નવ દીપકોની પાંચ પ ક્તિએ ગાઢવી અત્યંત ભાવેાલ્લાસ મેળળ્યેા. આગામી શક ૧૪૦ E
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy