SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ 29, 120Braun તથા જમનાબહેને બાળકના ગર્ભમાં આવતાં સ્વપ્નમાં ઝળહળતે મણિ જોયાની વાત ઉપરથી સાના આનંદોત્સવ વચ્ચે “મણિલાલ” એવું નામ પાડ્યું. જે ઉપરથી “આ પુત્ર પ્રભુશાસનને સફળતા પૂર્વક પામી સર્વવિરતિના પંથે જઈ આત્મકલ્યાણની શ્રેણિએ જઈ સ્વનું જીવન ઉજાળવા સાથે કુળ-પરિવાર-જ્ઞાતિનું ગૌરવ વધારવા પૂર્વક સમસ્તપ્રાણીજગતમાં રહેલ અજ્ઞાનના અંધકારને પ્રભુશાસનની સફળ-આરાધના દ્વારા મણિની જેમ દૂર કરનારો થાય” આ મગનભાઈ એ અર્થ તારવી આંતરિક–સંતોષ મેળવ્યું. જમનાબાઈએ પણ હરખભેર પતાપુત્રનું નામ હકીકતમાં મણિની જેમ તેજસ્વી અને હસમુખા ચહેરાના કારણે વધાવી લીધું. યેગ્ય લાલન-પાલનની દરકાર સાથે શ્રાવક–જીવનના ઉત્તમ સંસ્કાર આપવાની નેમ મગનભાઈ શખ તે પ્રમાણે જમનાબહેન પણ પોતાનું બાળક સુસંસ્કારી અને તેની વિશિષ્ટ દરકાર સેવતા. એટલે કે દહેરાસરે લઈ જઈ જે-જે કરાવવા, ગુરૂમહારાજને પગે લગાડવા, શ્રી નવકારમહામંત્ર ગણવો આદિ પ્રવૃત્તિથી શુભસંસ્કારના બીજની વાવણી સફળ રીતે કરતા. ' પૂર્વ-જન્મની સુંદર-આરાધનાના બળે શ્રાવકકુળની પ્રાપ્તિથી સુભગ બનેલ તે બાળક પણ મણિની જેમ તેજસ્વી મુખ-કાંતિથી માતા-પિતા અને વજન–વર્ગના હૈયાને આનંદવિભેર કરતો, દેવદર્શન–ગુરૂવંદન-નવકારવાળી આદિની સાહજિક-પ્રવૃત્તિઓથી પિતાની ભાવિ ધાર્મિક જીવન-પદ્ધતિની પૂર્વભૂમિકાનાં દર્શન કરાવતે. એકંદરે મગનભાઈ સંતાનના શરીર–વિકાસ સાથે તેના આત્મામાં પાંગરી રહેલી નિર્મળ ધાર્મિક-ભાવનાના વાતાવરણને નિહાળી સંતોષ અનુભવતા. જમનાબાઈએ પણ આ બાળકનું લાલન-પાલન કરતાં કેટલીય મંગળ-ભાવનાઓ ભાવી, તેમાં પિતાના જીવનને ઉલ્લાસ જે હો, પાડોશીઓ પણ “મણિલાલ”નું હસતું મહે જોઈને તેને ઉમળકાભેર તેડીને વિવિધ લાડ લડાવતા, બાળકના મુખ પરના સાહજિક તેજના ચમકારાથી ઉજવળ-ભાવિને સંકેત નિહાળી સહુ અચરિજ અનુભવતા. ઘરનું વાતાવરણ સંસ્કારી હતું, તેની સાથે જ બાળકની શાંત-પ્રસન્ન મુખમુદ્રા અને મધુર-વાણીએ રસ પૂરી અને આનંદ સર્યો હતો, જાણે ભવિષ્યમાં એક મહા-પુરૂષ આ. ઘરમાં આવવાના છે તે માટે પહેલેથી ઉચિત વ્યવસ્થા કરવા આવ્યું ન હોય !! આમ છતાં વેરાગી આત્મા મગનલાલને એક બાજુ પુત્રજન્મનો હર્ષ અને બીજી બાજુ આ સંસારી-જંજાળમાંથી છુટવાનો વિચાર આવ્યા જ કરતે હતો, તેથી તેમણે ખૂબ ઊંડું, વિચારી “જન્મેલ પુત્ર પુણ્યશાળી હોય તે મારા મને રથ પૂરા થાય” એમ માની જોષી પાસે તેના જન્માક્ષર કરાવ્યા. જોષીએ ફળાદેશમાં ટૂંકપણે જણાવેલ કે-“આ કુંડલીમાં રહે બહુ બળવાન છે, તેથી આ પુત્ર રાજા-મહારાજા બને અગર તેમને સ્પૃહણીય થવું જોઈએ” આ સાંભળી મગનભાઈ ખુશ થયા.
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy