SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ QUANTEURS જાણે પૂ. ચરિત્રનાયક શ્રી જેવા મહાપુણ્યશાળી પધારવા પૂર્વે તેમની પૂર્વ વ્યવસ્થા માટે લક્ષ્મીદેવીએ પગલાં કરી મહાપુરૂષને વધાવવાની પૂર્વ તૈયારી કરવા માંડી ! વળી ધકળાના અભ્યાસથી સંસારી–વ્યવહારમાં પણ સુદક્ષ બનેલ મગનભાઇએ ગૃહસ્થ જીવનને લગતી મર્યાદાને અપનાવી હતી કે આવકના અમુક ભાગ સુરક્ષિત નિધિ રૂપે રાખવા, અમુક ભાગ જ વ્યવહારૂ કાર્યામાં મેાભા પ્રમાણે રાખવા, બાકીનુ ધ ક્ષેત્રામાં ખચી ને પાપસ્થા– નકાના આસેવનથી ઉપાજા યેલી લક્ષ્મીના સદુપયોગ કરવા ” દીર્ઘદ્રષ્ટા મગનભાઈ દહીઅપ ગામની આવકને સ્થિર—સ ંપત્તિ તરીકે અર્થાત્ સુરક્ષિત નિધિ રૂપે રાખતા, બીજા ગામડાંઓની આવક ઘર ખર્ચમાં વાપરતા અને પાઘડીએના ચાલુ વેપારની આવક ધ માગે વાપરવા પ્રયત્નશીલ રહેતા. આ રીતે લક્ષ્મીની ચંચળતા કદાચ અ ંતરાયના ઉચે કાયરૂપે પરિણત થાય તે પણ સુરક્ષિત–નિધિના આધારે ચિત્ત-સમાધિ જળવાઈ રહે અને ધર્માં કાર્યામાં ખર્ચાતી લક્ષ્મીના આધારે ઉપાર્જિત થતા વિશિષ્ટ-પુણ્યના ખળથી તેવા આંતરાય કર્મના ઉદ્મયને નિષ્ફળ પણ બનાવી શકવાની કુનેહ મગનભાઈ એ સંસારી–પ્રવૃત્તિએની સામે આવી પડેલ જવાબદારીને હળવી કરવા વાપરી હતી. એકંદર આજના પ્રખર અશાસ્ત્રીની અદાથી મગનભાઈ શેઠ ભગત તરીકેની નામના વેદીયાવેડામાં ન ખપી જાય તેવી ચકાર-બુદ્ધિથી વ્યવહારૂ–પ્રવૃત્તિને આચરતા. ધાર્મિક સંસ્કારો અને ક્રિયાએની વિશુદ્ધ આચરણાથી જાગેલ પાપના ડરને લીધે ગામડીયાએની અલ્પજ્ઞતા અને મુગ્ધતાના ગેરલાભ ઉઠાવવા કદી વિચાર પણ ન કરતા,નિષ્ટ ક શુદ્ધ વ્યવહારની મર્યાદા જાળવવા ખૂબ ચાકકસ બનેલ મગનભાઈ આવડા મોટા ગામડાંને ધીરનાર–શાહુકારીના વ્યવસાય, પાઘડીએના વેચાણ માટે દેશિવદેશ સાથે મહેાળા સંબંધ છતાં ચાપડા ચીતરવાની કુટેવમાંથી પેાતાની જાતને આબાદ બચાવી શકયા હતા. તેઓએ માત્ર સામાન્ય નોંધ પૂરતા છદ્મસ્થતાના કારણે કોઇને ખાટો અન્યાય ન થઈ જાય તેટલા માટે એક ચાપડો અને એક બેઠી ખાતાવહી ટૂંક નોંધવાળી રાખી હતી, ચાપડામાં કાળી સહીથી કાળા લખાણેા ચિતરી આઘા–પાછી કરવાની ગામડીઆએ પાસે ખમ્બે-ત્રણવાર અંગુઠા છપાવી રકમની યાજનુ વ્યાજ વસુલ કરવાની અજ્ઞાનભરી વાણીયા ગતની અપ્રશસ્ત-પ્રવૃત્તિઓને સર્વથા તિલાંજલિ આપી હતી. તેમનું મગજ એવું વિશિષ્ટ ધારણાશક્તિવાળું હતું, કે દરેકના હિંસામ–વ્યાજની ગણત્રી માલની લેવડ-દેવડને થતા હિસાબ વગેરે ચાકકસપણે ગણી યાદ રાખતા, જેમાં પેાતાને કે સામાને પણ અન્યાય ન થાય તેની પૂર્ણ કાળજી રાખતા. આગ માં આ ક ૧૨૯
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy