SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગેત્રોમાં સત્તરમું ગોત્ર કચ્છીયાણું છે. જેનું સંરકૃત નામ છાડ્યાનાર છે. આ ગેત્રવાળા શ્રી સાહસવૃત્તિથી કચ્છ બાજુથી ઉંચી ઓલાદના સુંદર જાતિવંત ઘોડાઓ લાવી વેચનાર ઘડાના વેપારી સોદાગરના જસ્થારૂપે હશે, તે ઉપરથી પ્રસિદ્ધ થયેલ છranયનY૧ ઉપરથી લોકભાષામાં કચ્છીયાણું થયું લાગે છે. આ વેપારી ગોત્રમાં મૂળપુરૂષ તરીકે ગાંધી જીવણદાસની માનવંતી નેંધ ઈતિહાસ અને વહીવંચાઓના ચેપડામાં મળે છે. તેઓ વેપારી હોવા સાથે મહાન ધાર્મિક પ્રવૃત્તિવાળા અને જૈન સાધુઓના સહવાસમાં ત્યાગ-ધમ તરફ લાગણીવાળા ઉત્તમ, સંસ્કારી શ્રાવકધર્મને પાલનારા હતા, તેવા સમર્થન ઇતિહાસમાં સ્પષ્ટપણે છે. તેમના પુત્ર શેઠ ભવાનીદાસ ગાંધી હતા, જેઓ ધાર્મિક-વૃત્તિના સરળ પરિણમી , અને દાનધર્મમાં વિશેષ પ્રવૃત્તિવાળા હતા. છે. તેમને ત્રણ પુત્રો હતા, શેઠ શ્રી રતનચંદ ગાંધી, શેઠશ્રી રૂગનાથ ગાંધી, શેઠશ્રી ભકિતદાસ ગાંધી, આ ત્રણે પુત્રો પિતાજીની વારસાગત ધાર્મિક ભાવનાને સવાઈ કરવા સાથે વિશિષ્ટ ધાર્મિક પ્રવૃત્તિઓ, વેપારી કુને અને સામાજિક વિશિષ્ટ માતબર પ્રવૃત્તિઓથી જ્ઞાતિ અને સંઘના ભાદાર અગ્રગણ્ય ગૃહસ્થ તરીકે પ્રખ્યાત થયેલા. તેમાંથી પૂજ્ય ચરિત્રનાયકશ્રીના સંસાર પક્ષે પ્ર–પિતામહ તરીકેના સૌભાગ્યના કારણે નામ પ્રમાણે ગુણવાળા શ્રી રતનચંદભાઈને ભાઈચંદભાઈ નામે વિશિષ્ટ ધર્મસંસ્કાર સંપન્ન જાણુ-બુદ્ધિમાં ચકર, ઉચ્ચ-ધર્માત્મા–તરીકે વિખ્યાત કુળદીપક પુત્ર થયા. કપડવંજના વૃદ્ધ વ્યક્તિઓની પરંપરામાં જળવાઈ રહેલ લેક ઈતિહાસમાં “ભાઈ ચંદભાઈ રતનજી ગાંધી” તરીકે ઓળખાતું આ કુટુંબ ધર્મ, ન્યાય, નીતિ, સામાજિક પ્રતિષ્ઠા આદિની આગવી રીતભાતના લીધે મહત્ત્વપૂર્ણ રીતે ખ્યાતિ પ્રાપ્ત હતું, મળી આવતી નોંધ પ્રમાણે શેઠશ્રી ભાઈચંદભાઈ વ્યાવહારિક રીતે સાધનસંપન્ન હેવા સાથે ધાર્મિક સંસ્કારોથી પણ સુસમૃદ્ધ હતા, કપડવંજ શ્રી સંઘમાં વિચારક ધર્મનિષ્ઠ, વિવેકી પરમ શ્રાવક તરીકે તેમની ગણના હતી. તેઓશ્રી વિવિધ ધાર્મિક અનુષ્ઠાનાની પદ્ધતિસર આચરણામાં તથા બાળ જીવોને ધર્મ૧ નંગ આદિ પાર કરવા માટે પૂરપાટ દોડી શકતા જાતિવંત ઘોડાનું મહત્વ વધુ છે, ભવરૂપ વનમાંથી પાર ઉતરવા માટે શ્રતજ્ઞાન અને રાંયમ--એલનની સફળ વિશિષ્ઠ સાધનાના ઉચ્ચ–આદર્શોને રજુ કરનાર પૂ. ચરિત્રનાયકશ્રીના ભાવી જન્મની ધાર્મિક મહત્તા પૂજ્યશ્રીના જન્મગોત્ર પરથી ધ્વનિત થાય છે.
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy