________________
SHMIVEEURS
જાપ આદિ અનુષ્ઠાનપૂર્વક મહોત્સવ સાથે વિશિષ્ટ ઉત્તમોત્તમ પૂજા સામગ્રી, ગંધ સામગ્રી, કયાણક સામગ્રી, વસ્ત્રસામગ્રી, ઔષધિસામગ્રી આદિના સંજન રૂપે માંત્રિક વિધિએ મહાપૂજન થયું.'
પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે શ્રીપૂજ્ય મહારાજશ્રીની દોરવણ અનુસાર ઉપર પ્રમાણેના મહત્ત્વના કાર્યકમે થવા ઉપરાંત પ્રતિષ્ઠા-મહોત્સવને અનુરૂપ ચિત્ય-પ્રતિષ્ઠા, આમલસાર પૂજન, સ્વર્ણકલશ-વજદંડ અભિષેક, દેવ-દેવી અભિષેક, બ્રહદ્ ચિત્યાભિષેક, ભવ્ય રથયાત્રા, સાધર્મિક-ભક્તિ આદિ અનેક મંગલાનુષ્ઠાન ધર્મોલ્લાસની વૃદ્ધિ સાથે કરવામાં આવ્યાં. - આ પ્રમાણે પ્રતિષ્ઠા મહોત્સવ અંગે સઘળી શાસ્ત્રીય મર્યાદા પૂર્વકના વિધિ-વિધાને ગ્ય શુભ વેળાએ વિધિ પૂર્વક ધાર્મિક લોકોના ઉત્સાહને વધારનારી રીતે થયાં.
છેલ્લે વિ. સં. ૧૯૪ર વૈશાખ સુદ ૧૧ શુક્રવારે સવારે ૮ વાગે મિથુન લગ્નમાં શ્રી અમૃત શેઠાણીએ શ્રીપૂજ્ય મહારાજના વાસક્ષેપ સાથે ચઢતે રંગે મૂળનાયક તરીકે શ્રી ઋષભદેવપ્રભુ અને શ્રી મહાવીર પ્રભુને પૂર્વ દિશાના મુખ્ય દ્વારની સન્મુખ પ્રતિષ્ઠિત કર્યા.
બાકીના ૨૨ જિન બિઓમાંથી ૪-૮-અને ૧૦ જિનબિ દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર બાજુના ગર્ભગૃહમાં શ્રી અમૃત શેઠાણીના સંબંધીઓએ ઉલ્લાસ પૂર્વક પ્રતિષ્ઠિત કર્યા.
આજ મંગળ વેળાએ પૂર્વાભિમુખ મુખ્ય ગર્ભગૃહની રમુખ દહેરાસરમાં શ્રી પુંડરીક ગણધરની જિન મુદ્રાવાલી સ્થાપના તથા અનઃ લબ્લિનિધાન પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીજી મહારાજની મનહર પ્રવચન મુદ્રાવાલી સ્થાપના તથા તે દહેરાસરની નીચેના ભોંયરામાં વર્તમાનકાળે જંબુદ્વીપમાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના ૯ માં પુષ્કલાવતી નામના વિજયમાં તીર્થકરરૂપે વિચરતા બીજા વિહરમાન પ્રભુ યુગમંધરર પ્રભુની પ્રતિષ્ઠા અને મૂળ દેરાસરથી વાયવ્ય ખુણે સુંદર જિનાલયમાં શ્રી શાંતિનાથ પ્રભુ, શ્રી ષભદેવ સ્વામી, શ્રી ચંદ્રપ્રભ સ્વામી અને શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાજીએ સુંદર કલાત્મક
૧ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે થયેલ મંગળ કુંભ સ્થાપના અને માંત્રિક નવગ્રહ દશ દિગપાલ આદિ પૂજન સંબંધી દેશાચારના વર્ણન સાથે માંત્રિક ધાર્મિક અને લૌકિક રીતિ-રિવાજો આદિને ઉલ્લેખ પ્રતિષ્ઠા મહોત્સવ લઘુરાસ (ઢાળ, ૯ ગાથા ૧ થી ૧૫)માં છે.
૨ શ્રી પ્રતિષ્ઠા મહોત્સવ લધુરસ (ઢાળ ૧૦ ગાથા ૩૬)નો ઉલ્લેખ પ્રમાણે શ્રી યુગમંધરપ્રભુની પ્રતિષ્ઠાની વાત અહીં નોંધી છે. પણ લોકોક્તિ પ્રમાણે ૨૦ વિહરમાન પ્રભુમાં સહુથી પ્રથમ અને ભરતક્ષેત્રના આરાધકોને વધુ પ્રેરણાદાયી શ્રી સીમંધર સ્વામીજી હોવાનું જાણવા મળ્યું છે.
લંછન કે લેપ આદિ સ્પષ્ટ દેખાય તેમ નથી.
નિત