SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ H erne છે, પૂજા, મહોત્સવ આદિ પ્રસંગે દહેરાસરમાં ધર્મપ્રેમીઓની ભરચક ભીડ હોવા છતાં ઠેઠ રસ્ત ઉપર ઉભી રહેલ વ્યક્તિ પણ પ્રભુજીના આફ્લાદક-મુખારવિંદનાં દર્શન કરી શકે તેવી અદ્ભુત વાસ્તુકલાના નમુના રૂપે દહેરાસરની બાંધણી ભલભલાને આશ્ચર્યચકિત કરી દે છે. દહેરાસરમાં ગર્ભગૃહના પ્રવેશદ્વારો તથા સુંદર તેરણસમૃદ્ધ – દેવકુલિકાઓની વિશિષ્ટ સંજના દર્શન કરવા આવનારને ઘડીભર મુગ્ધ કરે તેવી છે. રંગમંડપમાં ચારે બાજુ કલાત્મક ભારતના સુપ્રસિદ્ધ અનેક તીર્થોના આરસમાં કેરેલા પટો તેમજ સુંદર રંગ-સામગ્રીથી ચિતરેલા પટે, શ્રી આગમપુરુષ અને શુદ્ધ ચાંદીમાં કતરેલ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થ વગેરેની ગોઠવણી ધર્મ પ્રેમીઓના ધર્મપ્રેમ અને વીતરાગ પ્રભુની આદર્શ ભક્તિ બતાવવા સાથે દહેરાસરના વ્યવસ્થાપકેની સુંદર સંજના-શક્તિ અને દીર્ઘ દર્શિતાને સુંદર પરિચય પૂરો પાડે છે. * આ ઉપરાંત રંગમંડપના ઘુમટમાં વાસ્તુકલાના શાસ્ત્ર પ્રમાણે વિવિધ ભાવભેગીમાં સેળ વિદ્યાદેવીઓ તેમજ શિલ્પકલાના નમુનાવાલી કેટલીક વિવિધ દેવીઓની શિલ્પ–સમૃદ્ધ મૂતિઓ કલારસિક પુણ્યાત્માઓને પણ આક્ષી પ્રભુ-ભકિત પાછળ પુણ્યવાનોએ ખર્ચલ ધનરાશિની અનુમોદના કરવાને પ્રસંગે ઉપસ્થિત કરે છે. વધુમાં રંગમંડપના ઘુમટની દિવાલમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશનું સુંદર ચિત્રણ ઉત્કૃષ્ટ કેટિના ચિત્રકાર દ્વારા કરવામાં આવેલું છે, કે જેને બાલ જી ચિત્રકળા જેવાના - બહાને પણ તાદશ જીવંત પ્રસંગના ઉઠાવવાળા અદ્ભુત-ચિત્રોના માધ્યમથી પરમાત્માના જીવનની લકત્તર અભુત વિશેષતાઓને પારખી પરમાત્મ-સ્વરૂપની સંવેદનાને સ્પર્શી શકે છે. ઘુમ્મટના ટેકામાં રહેલ સ્તંભના મથાળે તાજેતરમાં જયપુરથી આરસની સુંદર શિલ્પસમૃદ્ધ પ્રભુ-ભક્તિની વિવિધ મુદ્રાવાળી આઠ શાલભંજિકાઓ (પુતલીઓ) પધરાવી છે. દહેરાસરમાં ભાવ-ભક્તિપૂર્વક પ્રભુની આરાધના કરનારા પુણ્યવાનના માનસને સંસારની વિચારધારા તરફ જતું અટકાવવા દહેરાસરના વ્યવસ્થાપકેની કુનેહ સ્વરૂપ શિલ્પકલા અને ચિત્ર કલાના વિશિષ્ટ સંજન બળે જાત દેખરેખ પૂર્વક વ્યવસ્થિત સુંદરતા અને સ્વચ્છતાવાળું સ્વતઃ સર્જાતું વાતાવરણ ઉલ્લેખનીય જણાય છે. - તેમાં પણ શ્રી જયંત મેટલ વર્કસ તરફથી પ્રભુ-ભક્તિ નિમિત્તે દરેક ચિત્રપટો ઉપર ગેનાઈઝ (વિશિષ્ટ પિત્તલ પોલીશ) કરેલી આકર્ષક સુંદર ફ્રેમની પટ્ટીઓની કલાત્મક સંજના દહેરાસરની શોભામાં અને આરાધક જીવની ભાવશુદ્ધિમાં નોંધપાત્ર વધારો કરે છે. આ દહેરાસરની નયનરમ્ય રમણીયતાના અદ્ભુત દર્શન કરવા આવનાર ભાવિક છે ને ભક્તિ-વિભેર કરનાર દહેરાસરના મુખ્યદ્વારથી પ્રવેશ કરતાં જ જમણે હાથે સુંદર કલાત્મક ગુરુમંદિર
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy