________________
[ ૩૦ ]
સાગર સમાલોચના સંગ્રહ થાને આગમોદ્વારકની શાસનસેવા ખાનપાનાદિક કરવું વિગેરરૂપ પરિવ્રાજક ધર્મમાં કઈક કમ છે એવો ઉત્તર આવશ્યક મલયગિરિવૃત્તિમાં સ્પષ્ટપણે જણાવે છે, માટે કેવળ “હીને ઉત્તર લખનારે અને કહેનારે સમજ જોઈએ. ૧૬૮.
૨ દીક્ષાની બાબતમાં ગર્ભ અને જન્મથી આઠમું અને જન્મ પછી આઠ થયા પછી યોગ્ય થાય એ વાત કોઈએ નવી કલ્પી નથી, પણ શ્રી નિશીથચૂર્ણ, પ્રવચનસારોદ્ધાર અને ધર્મ સંગ્રહ વિગેરેમાં સ્પષ્ટપણે જણાવેલ જ છે૧૬૯,
૩ શ્રમણ સંઘની વ્યાખ્યામાં આરંભક અવયવ લઇએ તે મુનિને સમુદાય ગ૭ અને ગચ્છને સમુદાય કુળ અને કુળને સમુદાય ગણ અને ગણુને સમુદાય સંઘ એમ કહેવાતું હોવાથી કેવળ મુનિગણ આવે પણ સંઘના ચાર ભેદો શ્રી સ્થાનાંગસૂત્ર, ભગવતીજી વિગેરેમાં જણાવેલા હોવાથી આજ્ઞાવર્તી પરિવાર પણ અંદર ગણી શ્રમણ પ્રધાન છે જેમાં એ સપરિવાર સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર પ્રકારને સંઘ કહે છે ૧૭૦
૪ શાસ્ત્રદ્રષ્ટિએ તે સેળ વરસની ઉમર સુધી દીક્ષા દેવી હોય તે માત્ર માતપિતા અગર તેના વાલીની ઉત્સર્ગમાર્ગે રજાની જરૂર હતી, પણ પૂર્વકાળમાં વકતાઓ જેવી વચનની દ્રઢતા રાખતા હતા અને તેથી એકવચનીપણુનિયમિત હતું તેવી સ્થિતિ આજ કાલ ન હોવાથી માતાપિતા કે વાલીની સંમતિના પુરાવા માટે વિશેષ પ્રયનની જરૂર રહે તે સ્વાભાવિક છે અને આ જ કારણથી ધનગિરિમહારાજે સાક્ષીઓ રાખી વજ સ્વામીને લીધા છે. ૧૭૧
૫ પૂર્વકાળમાં પણ તે તે દ્રવ્યમુનિઓની અત્યંત અનુચિત પ્રવૃત્તિઓ દેખીને તે કાળના પુરુષોએ ઉચિત કરેલું જ છે તેમાં શાલના જાણકારને મતભેદ નથી n૧૭રા
૬ અવિદ્યમાન દોષનું જાહેરપણે આરોપણ કરવું તે અભ્યાખ્યાન એટલે કલકદાન નામનું મોટું પાપ છે. તેમજ પ્રચ્છન્નપણે વિદ્યમાન કે અવિદ્યમાન દેને પ્રગટ કરવા તે પશૂન્ય નામનું પાપસ્થાનક છે, અને બીજાઓને જાતિ, કર્મ આદિક જણાવી અધમતા દર્શાવવી તે પર૫રિવાદ નામનું પાપસ્થાનક કહેવાય. આટલા માટેજ સાધુપણુમાં વર્તતા શિષ્ય સિવાયને ઉદ્દેશીને આ કુશીલ છે એમ કહેવાને નિષેધ કર્યો અને દેવ વિદ્યમાન છતાં બીજાને ક્રોધ થાય તેવું બેલવાની મનાઈ થઈ ૧૭૩
સિદ્ધચક વર્ષ ૨ અંક ૧૫ ૧૯. પ્રા. શુ.૧૫ પૃ. ૩૫૦ સમાલોચના
૧ બાલ દીક્ષા વિરલવિષયક અને કદાચિત્ક હોય તેથી તે તે અત્યન્ત દુર્લભ કરી