SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા [૧૩] ૧ અગુરુલઘુ એ પદાર્થને સ્વભાવ છે અને તે એ છે કે-તે કેવલિમહારાજ દેખે. અને તે દેખનાર, સર્વ દ્રવ્યને દેખે તેમાં નવાઈ નથી. અરૂપનું જ્ઞાન કેવલીને જ હોય ગોત્રકમના ક્ષયથી અગુરુલઘુતા થાય પણ તેનું જ્ઞાન તે જ્ઞાનાવરણીયના ક્ષયથી જ થાય. ભવસ્થકેવલી અને મુકતકેવલીને એ જ્ઞાનગુણ સરખા છે સ્વચ્છતા જેમ દર્પણ અને કાચમાં છે અથવા પ્રતિબંધ ધરવાને સ્વભાવ બન્નેમાં છે, એ સમાનતા છે. ૧૩૧૮ ૨ ઘડાના ભૂતકાળના મૃત્તિકા-પિંડાદિ પર્યાયે અને તેનું દ્રવ્ય અતીતપણે, પૃથુબુનેદરાદિઆકાર અને દ્રવ્ય વર્તમાનપણે અને કપાલદિ પર્યાય અને દ્રવ્ય અનાગતપણે જેમ જણાય તેમ ત્રણ કાલનું જ્ઞાન થાય અતીત, વર્તમાન. ભવિષ્યપણે તે તે પદાર્થોનું સ્વરૂપ જાણવું તે ત્રિકાલજ્ઞાન જાણવું. ૧૩૧ ૩ પ્રશસ્તપણથી જિન-ગુરૂવંદનાદિમાં હિંસા, મૃગંત્રશ્નાદિમાં મૃષા, યુગપ્રધાનાદિ જેવામાં દીક્ષા દેતાં અદત્ત અને સંયમોપકરણાદિમાં પરિગ્રહ હોય છતાં ભેગવ પડે તે પાપબંધ ન થાય અને ભકિત આદિ પરિણામથી પુણ્ય અને સાથે નિજર થાય. મૈથુનમાં પ્રશસ્તકષાયથી સેવા ન હોય. ૧૩૨મા ( ૪ પ્રશસ્તપણું પુણ્યબંધ કરાવે અને સાથે નિર્જરા પણ કરાવે. સરગતા બંધનું કારણ અને વિરતિપણું આદિ નિર્જરાનું કારણ ! કેવલી આત્માના પગ ગો સાતાના કારણે છે શુભકર્મ અને તેના ભેગે અને સમુદ્દઘાતે નિર્જરે અને અશુભકર્મ, તપસ્યા તથા સમુઘાતથી નિજરે ૧૨ના ૫ નિષ્કષાયપણે થતી ગની પ્રવૃત્તિ, શુકલાવાળી જ હોય, મનને વેગ કેવલીને અનુત્તર સુર કે મનઃ પર્યાયજ્ઞાનીના ઉત્તર માટે, ધર્મદેશના માટે વચન અને કાયાની પ્રવૃત્તિ થાય તેમાં શુકલેશ્યા હોવાથી અડચણ નથી. ૧૩૨૨ ૬ ઇન્દ્રિયથી થતા સ્પર્શદિને ઉપગ મતિજ્ઞાન છે અને તે થયેલા મતિજ્ઞાનને કેવલીઓ જાણી લે છે. ૧૩૨કા ૭ કેવલીઓ અતીન્દ્રિય હોવાથી જીવન્મુકતદશામાં પણ તેમને તેનો ઉપયોગ ન હોય તે પછી સિદ્ધ દશામાં તે તે ઉપયોગ હેય જ કયાંથી ? i૧૩૨૪ ૮ આયુ તે આયુષ્કર્મ ઉપર આધાર રાખે, પણ તેની ગણત્રી વર્ષાહિથી કરવા માટે શ્વાસોચ્છવાસથી શરૂઆત કરી. શાસ્ત્રમાં પણ સંત પfણ તે જોવે તથા સૂક્ષ્મ અવાજીf ઈત્યાદિ કહીને ગણત્રી માટે તેનું આદિપણું લીધું અને આવલિકા લેકવ્યવહારને વિષય નહિ. બાકી શ્વાસે નામકર્મ ભેગવાય છે. ૧૩૨પા
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy