SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. www વિદ્યાથી આની સંખ્યા તેટલી આવે છે. અમેરિકામાં કેળવણી મેળવવા માટે જેટલી સગવડ છે તેટલી ખીજે ક્યાંય નથી. આપ વિદ્યાચી વચનને ઘણી યુનીવસી”ટીઓની જરૂર છે. આપણી સ્થિતિ ગરીબ છે. અમેરિકામાં ત્રોશ વરસમાં ખાનગી સખાવત મારફતે સાઠ કરોડ રૂપીઆ યુનીવસીટીઓ માટે મળ્યા છે. અમારા અને તમારા ધર્મ છે કે આપણા ખાળકાનું રક્ષણ કરવું તે માટે તમે આ યુનીવસીટીને નાણાંની ખુલ્લે હાથે મદદ કરેા. આ દેશમાં અનેક લાખાપતિ છે, છતાં હિંદના બેટાઓને વહેવારૂ કેળવણી લેવાને પરદેશ જવું પડે છે, અને ત્યાં કારખાનાઓમાં દાખલ કરવામાં આવે નહિ તે દીલગીરીભરેલું કહેવાય. જો આપણે આપણું કર્તવ્ય-ધર્મ સમજીશું તે તમાને જે જ્ઞાન જોઇશે તે અહીં મળશે. ખનારસ યુનીવસીટીમાં અમેા ખેતીવાડીની વિદ્યા શીખવવા ઉપરાંત આયુરવેદિકનું જ્ઞાન આપવા માગીએ છીએ. આપણા દેશમાં સંખ્યાખંધ જડીબુટ્ટીએ છે. જેને ઉપયાગમાં લેવાને કેશિશ કરવામાં આવશે. રેલ્વે એનજીનીરીંગનું આપણને અહીં શિક્ષણ મળતું નથી, તે ખાતાના મેાટા આહ્વા ઉપર હિંદી નથી. તે એદ્ધાઓ માટે લાયક થાય, તેવી કેળવણી આપવાના અમારા ઇરાદા છે. યાવજ્જીવનપઠન અધિકાર. ----- ૨૧ આચરણમાં શઠ જેવા માણસ હાય તાપણુ વિદ્યાના ખળથી જગમાં કીર્ત્તિ મેળવે છે. ત્યારે સુશીલ વિદ્યાસંપન્ન મનુષ્ય હાય તો તે પોતાના કે અન્યનો ઉદ્ધાર કરે એ નિ:સંશયની વાત છે. એ સમજાવીને વિદ્યાની સા જરૂર છે; માટે જીંદગીપર્યંત તેના અભ્યાસ કરવા જોઇએ, એ બતાવવા હવે પછી ચાવજીવન પઠન અધિકાર લેવા ધારેલ છે. અને આ ચાલતા વિદ્યાપ્રશંસા અધિકાર પરિપૂર્ણ કર્યેા છે. - यावज्जीवन पठन अधिकार. વિદ્યાપ્રશંસા સુખકર હોવાથી વિદ્યાભ્યાસ જીવનપર્યન્ત કરવા જોઇએ, તેમાં કેટલાકનું એમ મન્તવ્ય છે કે વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયા શિથિલ થઈ જવાથી વિદ્યા મેળવવામાં આવે તાપણ તેના કશેા ઉપયોગ નથી તેથી તે અવસ્થામાં વિદ્યા સોંપાદન કરી મગજને પરિશ્રમ આપવા વ્યર્થ છે, તેવા વાદીજનને નિન્નુર કરવા આ અધિકાર લેવામાં આવ્યેા છે.
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy