SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ વિદ્યા પ્રશંસાધિકાર. ઈસ મઠકા હે કવન ભરોસા, પડ જાવે ચટપટમેં, અવધ સૂતા કયા ઈસ મઠમેં. છિનમે તાતા, છિનમેં શીતલ, રેગ શેક બહુ મઠમેં, અવધૂળ પાની કિનારે મઠકા વાસા, કવન વિશ્વાસ એ તટમેં, અવધુત્ર સવિદ્યાયે અશુચિ ભાવના. शुचीन्यप्यशुचीकर्तुं समर्थेऽशुचिसंभवे । देहे जलादिना शौचभ्रमो मूढस्य दारुणः ॥ ४ ॥ પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરવાને સમર્થ, અશુચીને વિષે જેની ઉત્પત્તિ છે એવા દેહને વિષે જલાદિએ કરીને પવિત્ર કરવારૂપ મૂઢ પુરૂષને આકરે ભ્રમ છે. વિવેચન–સુચીનિ એટલે ઘનસાર, કેશર, ચંદન, રેશમી કપડું, દૂધ વગેરે પવિત્ર વસ્તુઓ તેને અપવિત્ર કરવાની શક્તિવાળા, અને શુક્રશેણિત, પુરીષ, મલાદિને વિષે જેની ઉત્પત્તિ છે એવા શરીરને, જલ, ભસ્મ, દર્ભ, માટી આદિએ પવિત્ર કરવારૂપ સ્નાન વિલેપનાદિથી શાચ કરવારૂપ ભ્રમ-એ વસ્તુઓથી મારો દેહ પવિત્ર થયે એવી દારૂણુ, ભયાનક, ભ્રાંતિ–મૂઢ પુરૂષની હોય છે. પવિત્ર થવાની સવિઘા. .. यःस्नात्वा समताकुंडे हित्वा कष्मलजं मलम् । पुनर्न याति मालिन्यं सोऽन्तरात्मा परः शुचिः ॥ ५॥ સમતાના કુંડમાં સ્નાન કરીને અને કર્મમલને દૂર કરીને ફરીથી જે મલિનતાને પામતો નથી તે અંતરઆત્મા ઉત્કૃષ્ટ પવિત્ર છે. વિવેચન–વિદ્યાતત્ત્વ સંયુક્ત જે યેગી સમતા એટલે સર્વને વિષે તુલ્યવૃત્તિ તે રૂપી જળાશયમાં સ્નાન કરીને, અને પાપકર્મથી થતા મેલને, કર્મપથી થયેલી આત્માની મલિનતાને-પરિહાર કરીને સમતારૂપી રસથી પાપમલનું પ્રક્ષાલન કરીને શુદ્ધ થયેલ-ફરીથી પૂર્વોક્ત મલિનતાને પામતે નથી એવો અંતરાત્મા–કાયાદિ બહિર્ભાવને સાક્ષીમાત્રપણાએ તટસ્થજ્ઞાતા–સર્વોત્કૃષ્ટ પવિત્ર છે. અવિદ્યાનું બંધન आत्मबोधो नवःपाशो देहगेहधनादिषु। यःक्षिप्तो प्यात्मना तेषु स्वस्य बंधाय जायते ॥६॥ દેહ, ઘર અને ધનાદિમાં મારાપણાની બુદ્ધિ તે નવિન પાશ છે. જે તે પદાર્થોને વિષે જીવે સ્થાપેલી છતાં જીવના બંધનને માટે થાય છે. વિવેચન–શરીર, ઘર, ધન, પુત્ર, સ્ત્રી વગેરેમાં મદીયપણુની બુદ્ધિરૂપ
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy