SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ एकादश परिच्छेद. શમ પરિચ્છેદમાં લીધેલા અધિકારાનું મનન કરનાર મનુષ્યને નીચત્વ તથા મૃખત્વ વગેરેપર તિરસ્કાર ઉત્પન્ન થઈ ઉત્તમતા વિદ્વત્તા વગેરે તરફ માનવૃત્તિ પેદા થાય એ સ્વાભાવિક છે. મનુષ્ય પોતાનું મનુષ્યત્વ શેાભાવવાને ઉત્તમ થવું જોઇએ અને તેને ઉપયોગી બનાવવાને વિદ્વાન થવું જોઇએ. સારા ગુણ્ણા મેળવવા અને વિ ઘાના આદર કરવા તથા ગુણની પરીક્ષા થાય તે માટે અને વિદ્યાનું સહેલાઈથી સંપાદન થઈ શકે તે માટે વિવિધ પ્રયત્નાથી બુદ્ધિને કેળવવી જોઇએ. બુઠ્ઠી ધારવાળાં હથિયારથી એક નાનું સરખું દાતણ પણુ કાપી શકાતું નથી પણુ તેજ હથિયારને સજવામાં આવે તે તેનાથી લેાઢાની છડી પણ કપાઈ જાય છે તેવી રીતે કેળવણી વગરની બુદ્ધિ સાદી વાત સમજવામાં પણ પાછી પડી જાય છે અને કેળવાયેલી બુદ્ધિ સૂક્ષ્મ શાસ્ત્રીય વિષયોમાં પણ આરપાર જાય છે તા પછી વ્યાવહારિક વિષયોના તત્વને હસ્તગત કરવામાં તે સહેલાઈથી ફત્તેહ મેળવતી રહે તેમાંતે નવાઇજ શું ? એટલામાટે બુદ્ધિને કેળવવાના વિષયોમાં શ્રમ લેવા આવશ્યક છે તથા શરીરની અસ્વસ્થ દશામાં કેળવાયેલી બુદ્ધિપર પણ વ્યગ્રતાનું આવરણ આવે છે માટે શરીરની સ્વસ્થતા જાળવવામાં બેદરકાર ન રહેતાં પ્રયત્નશીલ રહેવું એ પણ જરૂરનું છે વગેરે હકીકતા સમજાવવા માટે આ ૧૧ મા પરિચ્છેદના આરબ છે. ៩ મહેલિા-ઘધિવહાર. મનુષ્યોની બુદ્ધિની ચાતુરી-કેટલીક અસભવિત જેવી જણાતી, પશુ ખરી માર્મિક વાતાથી બહુ સારૂં કામ કરી શકે છે, વળી તે વિચારશક્તિને વધારે છે તેમજ પ્રહેલિકાની કવિતાઓ સમજવાથી મનને વિનેદ થાય છે તેની સાથે
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy