SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવાસીઓને મારે એક સંદેશે. ૧૭. ગ્રંથનો વિષય શું છે? વિષયને તેમજ લેખકને સંબંધ શો છે? ગ્રંથ રચવાનું પ્રયેાજન શું છે? અને ક્યા વર્ગના મનુષ્ય ગ્રંથને સમજવાને અધિકારી છે? આ ચાર નિયમ પ્રત્યેક ગ્રંથપ્રત્યે અવશ્ય જાણવા જઈએ ગં. થનો વિષય હોય તેને અનુકૂળ શબ્દ અને વાક્યરચના તે પુસ્તકમાં આવવાં જોઈએ. પ્રત્યેક લખાણની અમુક પરિભાષા હોય છે તેને દષ્ટિરહિત કરી વિષય તૈયાર કરતાં અર્થ શિથિલ થઈ જાય છે, એટલું જ નહિ પણ પરંપરાથી ચાલી આવતી વિચારશ્રેણને સમજવાનું મુખ્ય સાધન વાચકના હાથમાંથી જતું રહે છે. વિષયનું યથાર્થ જ્ઞાન લેખકને હોવું જોઈએ. વાચકે લેખકની શી ગ્યતા છે તથા તે કયા સ્થાનથી પ્રવર્તે છે તે જાણી લેવું જોઈએ, નહિતે તેને આ શય કાંઈક હોય અને ગ્રહાય કાંઈક, કારણકે દષ્ટિબિંદુમાં અંતર હોવાથી દર્શનમાં પણ અંતર પડી જાય છે. બેલેલાં ભાષણ કે શકરતાં ગ્રંથે ઘણે દૂર ફેલાય છે આથી લેખકના ઉમદા વિચારે જગવ્યાપી બને છે, અને સેંકડો કરતાં વધારે વર્ષો સુધી ભવિષ્યની પ્રજાને આ એક ઉપયોગી તેમજ કિંમતી વારસે છે. મહાત્માઓનું જ્ઞાન એ ઉન્નત ભાવપૂર્ણ પ્રવાહ છે, ફક્ત શબ્દરચનાના આડંબરમાંજ જે લેખનું લેખત્વ છે તે તે જાતમૃત બાલક જેવા અત્યંત નિષ્ફલ જ છે. દિનપ્રતિદિન શિક્ષણના વિસ્તારસાથે વાચનને વિસ્તાર વધતું જાય છે પણ આપણે અને આપણે સ્થાને આવનારા બાળકે શું વાંચીએ છીએ એને વિચાર કરવાની બહુ આવશ્યક્તા છે. શરીરને પુષ્ટિ આપનાર અન્નની અને ભેજનની આપણે અનેક રીતે પરીક્ષા કરીએ છીએ પણ મન અને આત્માને પુષ્ટિ આપનાર જે વાચન તેની અથાગ્ય પરીક્ષા આપણે કરતા નથી. દોડતે દેડતે જ્ઞાન માત્ર ઉપાડી લેવાયતે ઠીક એવી સાધારણ તૃષ્ણા દીઠામાં આવે છે. ગ્રંથ હાથમાં લીધે, પ્રથમ અને છેલ્લે એમ બે પૃચ્ચે જોયાં, વચમાં આમ તેમ ઉથાપ્યું અને તે પુસ્તકના વિષયસંબંધે અભિપ્રાય બાંધી ઉંચે મૂકયું. આજકાલ એવી શોચનીય સ્થિતિ જોવામાં આવે છે. આનું કારણ સેંકડે પચાણું જનના સંબંધે તે આલક્ષ્ય, બેપરવા, અને પોતાની બુદ્ધિનું અભિમાન સંતાડવાને એક બેટ માર્ગ છે. આટલું છતાં જોઈ શકાય છે, કે અભણમાં અભણ માણસના ગૃહમાં બે ચાર પુસ્તક પડયાં હશે. ગાંધીની દુકાને હીંગ, મરીના ઠામમાં પણ નાટકનાં ગાયને પડેલાં હશે. કોઈ પેપર-છાપું રાખતા હશે. ઘણાક જનેને તે નિત્ય પેપર જોયા વિના અન્ન ભાવતું નથી એવી પણ સ્થિતિ છે તે ઠીક છે. પણ એને સાર શું છે? જેને જોતાં કશે ઉપદેશ નથી, ઉલટું આડકતરી રીતે અવળો ઉપદેશ આપનારી વાર્તાઓ, તે. વાંજ નાટકે અને વેપાર, લડાઈ, કેસ, ઈત્યાદિની ખબર અંતરનાં પેપરે એ
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy