SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. vi -v ww ~~~ આપણામાં સ્થાપન કરવું જોઇએ. જ્યારે આપણે પરમાત્માજ છીએ ત્યારે પછી એવું માઢ ખેલવામાત્રથીજ તેના સામર્થ્ય ના અનુભવ થતા નથી. પરંતુ પ્રયત્નવડે તેના જેવા ગુણ્ણાનું આપણામાં સ્થાપન કરીએ છીએ ત્યારેજ આપણે તેના સામર્થ્યના અનુભવ કરીએ છીએ. સંકલ્પ શક્તિ એ પરમાત્માના સામરૂપ દિવ્ય શક્તિ છે અને તે શક્તિ આપણે જ્યારે આપણા મૂળ સ્વરૂપને આપણામાં જાગ્રત કરી તેના મૂળ ગુણધર્માનું આપણામાં સ્થાપન કરીએ છીએ ત્યારેજ વાપરી શકીએ છીએ. અંત:કરણની ઉચ્ચતા, રાગ, દ્વેષ, ક્રોધ, મદ, લેાલ, શાક, માહ, કામ, ભય આદિ શત્રુઓના ત્યાગ, અને હંમેશાં આપણામાંજ આપણા ગુણધર્મોના સ્વરૂપનેજ વિચાર કરી તેનું જ્યારે આપણે આરાપણ કરીએ છીએ, આપણા સ્વરૂપનુંજ વારંવાર ચિંતન કરીએ છીએ ત્યારેજ આ સંકલ્પશક્તિરૂપ દિવ્યશક્તિ આપણે વાપરવાને લાયક થઇએ છીએ. અને ત્યારેજ તે વાપરવાની કળા આપણામાં આવે છે. તેથી સંકલ્પશક્તિ વાપરવાની કળા જોઇતી હાય તેા આપણે આપણા ખરા સ્વરૂપનું અને તેના ગુણધર્માનું આપણામાં સ્થાપન કરવુ જોઇએ, આપણા સ્વરૂપનું અખંડ ચિંતન કરવું - ઇએ અને તૈલ ધારાવતુ આપણે આપણા સ્વરૂપના ગુણધર્મોથી વિમુખ થવુ જોઇએ નહિ. કાઈ પણ વખતે, કેાઈ પણ કામ કરતાં, કે કાઈ પણ વિચાર કરતાંપહેલાં આપણે જોવું કે આ કામ આપણું છે કે કેમ ? ક્રોધ થાય તેા વિચાર કરવા કે ક્રોધ શું પરમાત્મામાં હોય છે ? જે પરમાત્મામાં નથી હાતા તે પછી આપણામાં તે કયાંથી આવે ? અને આવીજ રીતે આપણામાં પરમાત્માનાજ ગુણેા છે કે નહિ તેનું અખંડ ચિંતન કરવુ જોઇએ. સંકલ્પશક્તિ પ્રાપ્ત કરવાને માટે એકાગ્રતાની ખાસ જરૂર છે. વિચારની એકાગ્ર સ્થિતિ થતાં આ શક્તિ પ્રાપ્ત થાય છે. વિચાર સર્વ કરવાને શક્તિમાન છે. અટષ્ટમાંથી જે કાંઈ ઉત્પન્ન કરવું હાય છે તે વિચારવડે ઉત્પન્ન થાય છે. આજે આપણી નજરે જે જે જણાય છે તે તે સર્વ અષ્ટમાંથીજ થાય છે-ઉત્પન્ન થયું છે. જે જોઇએ તે સર્વ અદૃષ્ટમાં ભરેલું છે, અને અષ્ટમાંથી દૃષ્ટમાં એટલે સૂક્ષ્મમાંથી સ્થૂલમાં પ્રકટ કરવાને માટે વિચારનાં આંદોલનાના મળને મેળવવામાટે સંયમ-એકાગ્રતાની જરૂર છે. અને એકાગ્રતાની સિદ્ધિ થતાં અષ્ટમાંથી દૃષ્ટમાં લાવવાનું સામર્થ્ય આવે છે અને આ સામર્થ્ય આવ્યાપછોજ સંકલ્પદ્વારા વિચારનાં આંદોલના ફૂંકવામાં આવે છે. આગળ આપણે માહાત્માઓના સામર્થ્યની વાતા આપણાં સૂત્રામાં વાંચીએ છીએ ત્યારે આશ્ચર્યચકિત થઈ જઇએ છોએ કે વળી આમ તે મનતું હશે ? નાટકામાં ઋષિમુનિએનાં પાત્રાદ્વારા સંકલ્પ કરતા વેષધારીઓને આપણે જોઇએ છીએ ત્યારે કેટલું આશ્ચર્ય ૧૬૪ દામ
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy