SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. થયો તે રેન કદી કડવાસ જરી, માયા મમતી ૨૩ કદિ પુણ્ય બળે તું સ્વર્ગ જશે, પણ સ્વર્ગનું સૂખ નહીં મળશે, અંતર બહુ બળતું તારું હશે, | માયા મમતી. ૨૪ માંદાને મેલે મહેલવિષે, જ્યાં જાત જાતનાં સુખ દિસે, પણ તેને ઝેરસમાન થશે, માયા મમતી. ૨૫ ખુબ તેમ ખીલ મન શક્તી, પણ મૂઢ કરે નહિ સુણિ જુતી, સજ્ઞાન થતાં સેજે મુક્તી, માયા મમતી. ૨૬ અવકાશ નથી તે સાચું નથી, નિત વખત ગુમાવે મફત અતી, પણ આળસુ એદી તારિ મતી, માયા મમતી. ર૭ કર કામ રાત દિન તન રગડી, આરામ ન લે એક ઘડી, એ કઈથી બની શકે ન કદી, | માયા મમતી. ૨૮ દાડી ડી કુરસદ લઈને, સદ્ગથે સત્સંગે રહિને, થા વલ્લભ જ્ઞાની દિલ દઈને, માયા મમતી. ૨૯ આતર મનની અદભૂત ચમત્કૃતિ. કેઈપણ કાર્ય કર્યાબાદ નું રૂચિકર પરિણામ નહિ આવવાથી ચિંતા કરી પરમાત્માને દોષ દેવકરતાં પ્રત્યેક કાર્ય કર્યા અગાઉ છેવટે ઓછામાં ઓછી એક મિનીટ હમારા આંતર મનને વિશ્રાન્તિ આપી હૅમાં ભરાયેલા બાહ્ય નિરૂપયેગી વિચારેને વિદાયગીરી આપી હેમાંજ ભરાયેલા પણ ગુપ્તપણે વસી રહેલા હમારા શુદ્ધ ને નિર્મળ અંતરાત્મા પ્રભુને હમે જે કાર્ય કરવા ધારે છે તેનું પરિણામ પુછે ને જે હેને પ્રત્યુત્તર તમને રૂચિકર હોય તેજ કાર્યારંભ કરશે. હમારા નિર્મળ અતઃકરણને પૂછયા સિવાય હમે જે જે કાર્યો કરશે તેમાં તમારે ઘણીક વખત વિમાસવું પડશે, માટે કાર્યારંભ અગાઉ ત્યમારા અંતરાત્મા પ્રભુ સાથે તેનું પરિણામ નકકી કરશે. કદી તેનું પરિણામ નક્કી કરવું ભૂલી જઈ કાર્યારંભ કરતા નહિ. હમારી આ એક મિનીટ ભવિષ્યમાં હજારે ને લાખ મિનીટેના વ્યયમાંથી હમને બચાવશે. ને તેજ મિનીટ પ્રત્યેક મનુષ્યને સત્યવક્તા, પરોપકારી ને મહાન નર કરવાને બસ છે. આ એકજ મિનીટ અરે! એક સેકંડ પણ વિચાર કર્યાશિવાય જે જે કાર્યારંભ કરવામાં આવે છે તે, અને જેઓ તેટલે વખત વિચારમાં રેકી પછી કાર્યારંભ કરે છે તેના પરિણામમાં હજારે દરજજે ફેર પડે છે. * ભાગ્યોદય માસિક.
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy