SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ માગે ચડાવ્યો, અહો આ વેષને પ્રભાવ! અહો આ ક્રિયાનું સુખ! તેથી મને શાંતિમય પરમ આહાદ સાક્ષાત્ કે અનુભવવામાં આવે છે ! અહ? એક નીચ ચંડાળ દુરાત્મા, પાપિષ્ટ છતાં મોટા મોટા રાજાઓ તથા શ્રીમતેને પૂજનિક થયો; તે શાથી? જરૂર જરૂર પૂર્વે થઈ ગયેલા મહાત્મા યોગીએની વાનકીથી પણ મને તે માત્ર બાહ્ય ક્રિયાડંબરે આટલે બધે લાભ જણાય છે, તે જો હું શુદ્ધ અને શુદ્ધ પરમાત્મધ્યાનજ કરું, તે હું ખરેખર યોગી થઈ મારા આત્માને વૈકુંઠમાં મેકલી શકું; માટે બસ, આ સર્વ મિથ્યાટેપ, અસત્ય ડેળ અને માયા પ્રપંચથી સર્યું. બસ મહારે તે હવેથી માસ માસના ઉપવાસ આવી રીતે શુદ્ધ ધ્યાનપૂર્વક કરવા, મહારાણી સાહેબનો સદાય ઉપકાર માન અને સર્વથા ત્યાગી રહીને આજ સ્થળે મારે દેહોત્સર્ગ સુખ સમાધિમાં થાઓ એવી હું દ્રઢ પ્રતિજ્ઞા કરું છું.” આમ વિચાર કરે છે, તેવામાં રાણી એકદા બપોરે ત્રણ બજે ભાતભાતનાં ભેજના ખાનપાનાદિ અતિ સુંદર મધુર પદાર્થોથી ભરેલા સુવર્ણ થાળ, ફળ ફૂલથી ભરેલી સુવર્ણ રકાબીઓ, તથા સુગંધિ મિષ્ટ જળમય રત્નજડિત સુવર્ણ કલશા અને વિવિધ તાંબલ મુખવાસ પ્રમુખ લઈને સોળે શણગાર સજી, “મનવાની સન્મુખ, રાજા સહિત આવીને હાજર થઈ, મનવાને બોલાવ્યો કે “બોલ હવે તારી શી ઈચ્છા છે? હું આ તારી પાસે ઉભી છું.” - મનવો લજજા પામતે થકે પણ આંખમાં પરમ હર્ષનાં આંસુ લાવીને અતિ નમ્ર થયો થકે બે હાથ જોડીને રાણીને મહા ભક્તિપૂર્વક પગે લાગે, અને બેલ્યો કે “હે માતા ! હે ધર્માત્મા! હે દયામૂર્તિ ! અહો મારી પરમ ગુરૂણી પરમ સુખદાતા, તમારું જુગજુગપર્યત કલ્યાણ થાઓ, ચિરકાળ સુખમાં રહો, અને મારે અપરાધ ક્ષમા કરીને મને આવી રીતે મહારૂં આત્મકલ્યાણ કરવામાં સદા સહાયભૂત થાઓ.” પછી રાણીએ તેની ઘણી પ્રશંસા કરી, તેને સારી રીતે ભેજન કરાવ્યું, હવે તે દિવસથી મન પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે વર્તવા લાગે અને તેને પરિણામે તેની પરમ સદ્ગતિ થઈ અને તેની સર્વ દોલતમાંથી ચેાથે ભાગ તેની સ્ત્રીને તથા બીજે ચે ભાગ તેના કુટુંબ પરિવારને, શેષ સાર્વજનિક કલ્યાણાર્થે અર્પણ કરવામાં આવ્યું. ઉપનય–વિષય કષાય યુક્ત દુર્ગાનવાળું પ્રાણીનું મન તે મને જાણ. અજ્ઞાની બાહ્ય દેખાવ, બાહ્ય કિયા, અને બાહ્ય આપથી ભેળવાઈ જતા એવા ધમાલ પેમલા મિલીરૂપ જે ભેળા લોકો તેરૂપ ભદ્રિકસિંહ રાજા જાણ અને વિષયાધીન અશુદ્ધ વહેવાર પ્રવર્તક, નિપુણ દયામય જિનમતિરૂપ તે ગુણધર્મો રાણી જાણવી, અને સંત, સદાચારી મહાત્મા ગીરૂપે સુધરેલા
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy