________________
પરિચ્છેદ.
ચારિત્રદુઃખ-અધિકાર.
-* चारित्रदुःख - अधिकार. ચારિત્રવ્રુત્ત અધિસ્તર. eg=
૫૯
દરેક કાર્યમાં પ્રવૃત્ત થતાં પહેલાં તે કાય કરવામાં અને છેવટસુધી 50% તેને નિભાવવામાં કયા કયા પ્રકારનાં સંકટ પ્રાપ્ત થાયછે? તે જાણુવાની પ્રથમ જરૂર છે. જ્યારે જગનાં કાર્યમાં પણ આમ નિરીક્ષણ કરવું પડેછે ત્યારે મે ક્ષેાપયેાગી ચારિત્ર જે સર્વ શાસ્ત્રોના મૂળરૂપ છે તેના આરંભમાં તથા તેને ચાવજવિતસુધી નિભાવવાના કાર્યમાં તેનાં સુખ જાણવાની સાથે તેમાં કઈ કઈ જાતનાં દુઃ ખા (વિઘ્ન) પ્રાપ્ત થાયછે તે ચરિત્રાનુરાગી સાધુ આએ પ્રથમ પદે જાણવાની ઘણીજ જરૂર છે. કારણકે એક જનસંઘ એક રસ્તે જવાના હોય તે પણ તે રસ્તાસંબંધી અડચણેાને પ્રથમ સમજી પછી તે માર્ગ ચાલેછે એટલે અમુક હદે ગામ આવેછે, અમુક હદે નિર્જળ પ્રદેશ આવેછે, અમુક હદમાં ચારના ભય રહેછે વિગેરે, તેમ ચારિત્રમાર્ગ દ્વારા મુક્તિપુરીમાં જવા ઇચ્છતા યતિવર્યાંએ તે માગનાં વિઘ્ના જાણુવાં જોઇએ. જેનું દિગ્દર્શન કરાવવા આ અધિકારને આરંભ કરવામાં આવેછે. એટલે સાવચેત રહી તે દુઃખાથી ખચી મુક્તિપુરીમાં નિર્વિજ્ઞ રીતે સાધુએ જઇ શકે આવા દ્દેશ છે.
અહિંસાવ્રતની દુષ્કરતા. અનુષ્ટુપ (૨ થી ૨૨).
समया सव्वभूएसु सत्तुमित्तेसु वा जगे । पाणायवायविरई जावज्जीवाए दुक्करं ॥ १ ॥
જગમાં સઘળા શત્રુએ અને મિત્રાઉપર સમતા રાખવી અને કોઇ પણ જંતુની હિંસા કરવી નહિં. જીવિતપર્યંત પ્રાણાતિપાતવિરમણવ્રત પાળવું એ ખરેખર મહા કઠિન કામ છે.
૧.
* ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯ મા અધ્યયનમાં જ્યારે મૃગાપુત્ર ચારિત્ર ગ્રહણુ કરવાની આના લેછે ત્યારે તેનાં માતાપિતા તે પુત્રને ચારિત્ર પાળવાની દુષ્કરતા સૂચવેછે. ગાથા ૧ થી ૧૯.