SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૮ * વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨જો. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ નામને ગ્રંથ હસ્તગત થયે અને તે વાંચ્યું છે તેથી અત્યાનંદ થયો. ગ્રંથસંબંધે મારે થતો અભિપ્રાય નિવેદન કરૂં છું પરંતુ તે નિવેદન કરતાં પહેલાં આરંભમાં મારે જણાવવું જોઈએ કે આવા ગ્રંથસંબંધે અભિપ્રાય આપવાને યોગ્ય અધિકાર મને હજી પ્રાપ્ત થયું નથી ને હું પુસ્તકને ગ્ય ન્યાય આપી શકું તેવું જ્ઞાન કે શક્તિ લેશ માત્ર પણ ધરાવતો નથી છતાં પણ મારા ઉપર ગુરૂકૃપા થાય છે એ સંતસમાગમનું શુભ પરિણામ માની ગ્રંથકર્તાના ચરણમાં આ પત્રદ્વારા મારા વિચાર રજુ કરવા હું પ્રેરાઉં છું. આ ગ્રંથ ધર્મ અને નીતિના સર્વ માન્ય સૂત્ર-મહાવાક્યોના મણિકાની સુગ્રથિતમાળા સમાન છે. ગ્રંથયજક મુનિએ જિજ્ઞાસુ મનુષ્યોને સહજ સમજી શકાય તેવી રીતે સરલ ભાષામાં ધર્મ ને નીતિને બોધ ઉક્ત પુસ્તકમાં કરે છે અને તે મહાભાએ લીધેલે શ્રમ જનસમાજને મુખ્ય મૂળ ગ્રંથોનું અવલોકન કરવું ન બની શકે તેમને માટે સંક્ષિપ્તમાં સારરૂપ અતિ ઉપયોગી સાહિત્ય પૂરું પાડવાનો જણાય છે તે સફળ થયેલે છે એમ હું માનું છું. વિજ્ઞાન અને ધર્મશાસ્ત્રમાં ઉચ્ચ કોટિએ નહિ ચડેલા સાધારણ સમજના જિજ્ઞાસુઓને આ પુસ્તક આશીર્વાદરૂપ થઈ પડશે અને સાહિત્યપ્રેમી સજજનોને પણ અવકાશે તેનું વાંચન આવકારદાયક છે. ઉપરાંત આ પુસ્તક સામાન્ય જ્ઞાન ધરાવતા મુમુક્ષુ મુનિ મહારાજે જેમને પિતાના વિહારમાં સ્થળે સ્થળે સાધારણ પંક્તિના અનુયાયી શિષ્યસમૂહ અને જનમંડળને ધર્મ અને નીતિને બોધ કરવાનો હોય તે પ્રસંગે આ પુસ્તક એક ઘણું ઉપયોગી સાધન થઈ પડશે એમ મારું માનવું છે. ઉપરાંત મુમુક્ષુ જનોને આવો ગ્રંથ અવલેકન કરવાથી ક્રમે ક્રમે ઉચ્ચતર જ્ઞાન સંપાદન કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન થવાથી મૂળ ગ્રંથે વાંચવા પ્રેરણું થશે અને જેવી રીતે આ મુનિ મહારાજે વિહાર દરમ્યાન નિસ્વાર્થપણે માત્ર પરોપકાર અને જનસમાજના કલ્યાણ માટે પરિશ્રમ વેઠી ઘણું પુસ્તકનું અવલોકન અને સંશોધન કરી ઉપકાર કરે છે. તેવી જ રીતે બીજા ધર્મોપદેશકો પણ પ્રવૃત્તિ કરવા પ્રયત્ન શીલ થશે. તથાસ્તુ. છોટાલાલ જીવણજીભાઈ ન્યાયાધીશ, જ્ઞાતિ નાગર, ભેંસાણ, જેતપર પાસે-કાઠિયાવાડ. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ધ્યાનપૂર્વક વાંચતાં તે ધાર્મિક, નૈતિક તથા વ્યાવહારિક બાબતોથી ભરપૂર છે. દેવ કોને કહેવા ? સાધુ કેવા હોવા જોઈએ? શ્રાવકે કેવી રીતે વર્તવું? વિગેરે બાબતનું ખ્યાન આ ગ્રંથમાં સારી રીતે કરેલું છે. આ કળિયુગના વખતને લઇને માણસની જીંદગી ટુંકી અને આજ કાલ ઘણું વ્યવસાયવાળી થઈ પડી છે તેમાં એક તે વખત થોડે હેવાથી વાંચવા કરવાનું થોડું બને
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy