________________
*
*
*
* *
*
*
*
*
*
*
વ્યાખ્યાન સાહિત્યસબ્રહ– ભાગ ૨ મિ.
બેઈમ સાધનને શુભ ફળદાયી તરીકે ઉપયોગ કરે. જેમકે વિદ્યાનો ઉપયોગ જ્ઞાનવૃદ્ધિમાં કરે, લમીન ઉપગ દાન દેવામાં કરે અને શક્તિ મેળવીને દીનનું રક્ષણ કરવું એ સપુરૂષનું કર્તાવ્ય છે. એવા સત્પર પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ મેળવીને સમુદ્રની માફક ખળભળતા નથી એ બતાવી જ્ઞાનલબ્ધિ વિના સર્વ ઠેકાણે અજવાળું પડતું નથી તેથી હવે પછી જ્ઞાન અધિકાર લેવાની જરૂર ધારી આ ચઢતી-પડતી અધિકાર પૂર્ણ કર્યો છે.
morrow : જ્ઞાન-વિવાર. :--
॥ ज्ञानं च शक्तिः खलु मुक्तिभाजाम् ॥ છે જે કર્મભગ ભોગવવે તે જ્ઞાનપૂર્વક જોગવવાની જરૂર છે કારણકે
982 શુભ કર્મના પરિણામરૂપે ઉત્પન્ન થયેલ સુખરૂપ ફળ ભેગવવાની વખતે વિચાર કરો કે કરેલ શુભ કર્મને અંત આવશે ત્યારે અશુભ કર્મના પરિણામરૂપે દુઃખરૂપ ફળ ભોગવવું પડશે તે સુખ ભેગવતી વખતે જેમ હર્ષઘેલા ન થવું તેમ દુઃખમય અવસ્થામાં નિષ્ફળ બળાપ કરી ઉન્માદ દશામાં જવું નહિ એનો સઘળો આધાર જ્ઞાનના ઉપર રહેલ છે.
જ્ઞાન શબ્દ જ્ઞા-ગવરોધને (જાણવું) આ ધાતુ ઉપરથી ઉત્પન્ન થાય છે એટલે ટૂંકામાં એને અર્થ જાણવું એવો થાય છે તે શું શું જાણવું? તે શંકા ઉપસ્થિત થાય છે, ત્યાં મુમુક્ષુ પુરૂષ કહે છે કે આત્મતત્ત્વ જાણવું જોઈએ અને તે આત્મજ્ઞાન થયા પછી જે મનુષ્ય પરમપદ (મોક્ષને) ને પામે છે. આ જ્ઞાનશબ્દ તત્વજ્ઞાનની વિદ્યા સિવાય અન્ય સર્વ વિદ્યાઓમાં પણ લોક વ્યવહારમાં ઉપયોગી છે એટલે તે તે બાબત સમજવા માટે તે તે શાસ્ત્રોનું જ્ઞાન પણ અવશ્ય મેળવવું જોઈએ. આ અધિકારમાં ઉપર જણાવેલાં બન્ને જ્ઞાનનું યત્કિંચિત નિરૂપણ કરેલું છે એટલે જ્યાં જ્યાં ધન, સમૃદ્ધિ આપવાની જ્ઞાનની શક્તિ છે તે તે ઠેકાણે વધારે લોકિક જ્ઞાનનું પ્રબલ જાણવું અને જ્યાં જ્યાં મેક્ષસુખને આપવાની શક્તિ જણાવી છે ત્યાં ત્યાં તત્ત્વજ્ઞાનનું પ્રાબલ્ય સમજવું એટલે બન્ને પ્રકારના જ્ઞાનની પ્રશંસા આ અધિકારમાં કરવામાં આવી છે એટલી બાબત પ્રવેશકેને જાણવાની જરૂર ધારી ટુંકમાં નિરૂપિત કરી છે. .