SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ . વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ હે જિનેશ, સદ્દગુરૂ મહારાજને ભલે હિતોપદેશ સાંભળીને મને કાંઈ પણ વૈરાગ્ય વાસના ન આવી, અપિતુ, ભવથકી વિરક્ત બુદ્ધિને લવ પણ ન થયે; વળી હે નાથ, દુર્જન પ્રાણીઓના અપ્રિય, કટુક વચને સાંભળીને મનમાં ઉપમન એટલે સમતાભાવ ન રાખે; વળી હે દેવ, મેં પરમાર્થ બુદ્ધિએ એટલે કેવળ આત્માની નિર્મળતાને અર્થેજ જ્ઞાનાભ્યાસ, ક્રિયાગ, ધ્યાન, તપ વિગેરે ન કય; કેઈ પણ પ્રકારની આધ્યાત્મિક દશા એટલે શુદ્ધાત્મસ્વરૂપ ચિંતવન મને આવ્યું નહિ, તે હવે હે નાથ, આ અધમ દુરાચારી જે હું તેને આ ગહન સંસારસમુદ્ર તરવાની ચગ્યતા ક્યાંથી જ હોય? ૨૨. ત્રણ જન્મનું જ્ઞાન. पूर्व भवेऽकारि मया न पुण्यमागामिजन्मन्यपि नो करिष्ये । यदीदृशोऽहम्मम तेन नष्टा, भूतोद्भवद्भाविभवत्रयीश ॥ २३ ॥ હે કેવળી તે, મેં પૂર્વભવને વિષે કોઈ પણ પુણ્ય કર્યું નહિ, કેમકે જે કર્યું હોત તે આ ભવમાં સુખ મળ્યું હતું, પણ તે તે નથી; વળી આવતે ભવે પણ હું કાંઈ પણ સુકૃત કરનાર નથી, કેમકે આ ભવમાં કોઈ પણ જાતની ભલી ધર્મવાસના દઢ કરતું નથી, તે આગળ તે કયાંથી થશે? કેમકે જેવી મતિ તેવી ગતિ થાય છે, આ રીતે હે ભગવન, મારા તે વર્તમાન, ભૂત, અને ભવિષ્ય, ત્રણે ભવે નષ્ટ થયા. ૨૩. આપ સર્વજ્ઞ હેવાથી મારી પ્રાર્થના જાણે છે. किं वा मुधाहम्बहुधा सुधाभुक्पूज्यत्वदने चरितं स्वकीयम् । जल्पामि यस्मात् त्रिजगत्स्वरूपनिरूपकस्त्वयिदेतदत्र ॥ २४ ॥ અસંખ્ય દેએ પૂજિત એવા હે જગત્યતે! હું મારું ચરિત્ર તે આપની પાસે શું કહું કેમકે આપ તે ત્રણ ભુવનના સર્વ ભાવોને એક સમયમાં જાણીને નિરૂપણ કરનારા છે; તે હે અંતરજામી આપને આ મારું ચરિત્ર જાણવું તે શા હિસાબમાં છે? ૨૪. અલ્પ યાચના. शार्दूलविक्रीडित. दीनोद्धारधुरन्धरस्त्वदपरो नास्ते मदन्यः कृपा पात्रमात्र जने जिनेश्वर तथाप्येतां न याचे श्रियम् ॥ .
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy