SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ -9 ક્ષમાયાચના. – મનુષ્ય. क्षन्तव्यो मन्दबुद्धीनामपराधो मनीषिणा । नहि सर्वत्र पाण्डित्यं, सुलभं पुरुषे कचित् ॥ सुभाषितरत्नभाण्डागार. બુદ્ધિશાળી મનુષ્ય મંદબુદ્ધિવાળાઓને અપરાધ માફ કરવું જોઈએ. કારણકે સર્વ ઠેકાણે વિદ્વતા હોઇ શકતી નથી, પરંતુ ક્યારેક કેઈ (વીરલા) પુરૂષમાં સુલભ રીતે વિદ્વત્તા જોવામાં આવે છે. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહને પહેલે ભાગ બહાર પડતાં જે જે પૂજ્ય મહાત્માઓ, રાજેશ્રીવર્ગ, જેનેતર પંડિતે, જાહેર સંસ્થાઓ અને સંગ્રહસ્થાએ આ ગ્રંથ બાબતમાં હંસની માફક સાર ગ્રહણ કરી પોતાના અભિપ્રાચેવડે મને આ ગ્રંથમાં આગળ વધવા પ્રેરણું કરી છે એટલું જ નહિ પણ નવીન જીવન અપી આભારી બનાવ્યું છે તે તે મહાશયે હું ઋણી છું, તેઓમાં પણ સ્વર્ગસ્થ શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજના પ્રશિષ્ય પ્રસિદ્ધવક્તા શ્રીમાન શ્રીવલ્લભવિજયજી મહારાજે તે પ્રથમથી જ આ ગ્રંથનું મેટર સુધારવું, શેધખોળમાં અનેક સલાહ આપવા વિગેરે કાર્યોમાં પિતાનો અમૂલ્ય વખત રોકી જે જે મદદ કરી છે તે તે મદદ કદી પણ ભૂલાય તેમ નથી. હું પહેલા ભાગમાં પણ લખી ગયો છું, લખું છું અને લખીશ કે જેનમત સ્યાદ્વાદ હોવાને લીધે દરેક મતવાળા પણ કેઈ અપેક્ષાએ જેનજ છે. કારણકે દરેક મતમાં જૈનેના સાત નયમોને કઈ પણ નય તો હોય જ છે, ભૂલ માત્ર એટલી જ છે કે જ્યારે જૈનદર્શન અપેક્ષા ગ્રહણ કરે છે ત્યારે બીજાઓ અપેક્ષા ગ્રહણ ન કરી એકાંતને જ માની લે છે, માટે જે નયને લઈ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy