________________
વ્યાખ્યાન સાહિત્યસબ્રહ– ભાગ ૨.
ભવોમ હોય તે સ્થાનકે વ્યય કરે. દ્રવ્યવ્યય કરવામાં લોકેની આધુનિક સ્થિતિ અને જરૂરીઆત પર ખાસ ધ્યાન આપવું. જે આવી ઉત્તમ ભાવનાથી દ્રવ્યવ્યય કરવામાં આવે તે સંસારદુઃખથી છૂટવાનું જલદી બને તેમ છે. શાસ્ત્રકારનું ખાસ ફરમાન છે કે સાત ક્ષેત્રમાં ધનનો વ્યય કર, તેમાં પણ જે ક્ષેત્ર સીદાતું હોય તેતરફ પ્રથમ ધ્યાન આપવું. જમણવાર કરવાની આ જમાનામાં ઘણા માણસો સમજીને-વિચારીને ના પાડે છે. તેઓને લાડવા કડવા લાગતા નથી, પરંતુ તેઓ સમજે છે કે જમણવારકરતાં શ્રાવકેની સ્થિતિ સુધારવાની, તેઓને ઉદ્યમે ચઢાવવાની અને અભણને ભણાવવાનાં સાધન
છે, જેનપ્રજાને બીજી પ્રજાની સપાટી પર મૂકવાની પ્રથમ જરૂરીઆત છે; તેવી જ રીતે દેરાસર વધારવા કરતાં તેમની પૂજા કરનારાઓને વધારવાની અને જે દેરાસરો છે તેમને જાળવનારા ઉત્પન્ન કરવાની વધારે જરૂરીઆત છે. આ વિચાર સશાસ્ત્ર છે એમ તને જણાય તો તારે તે આદર. ફક્ત લેકપ્રવાહુથી ખેંચાઈ જવું નહિ. જ્યારે આવી રીતે વિચાર કરીને ધનને વ્યય કરવામાં આવશે ત્યારે બેવડા લાભ થશે.
કેળવાયેલા તથા બીનકેળવાયેલા બંધુઓ પૈકી જેણે શાસ્ત્રીય તત્વજ્ઞાન કોઈ પણ સંપાદન કર્યું હશે તેઓને સહજ માલુમ પડશે કે સાતક્ષેત્ર એ ધર્મનો ઉડે અને મજબૂત પાયે છે. તેમાં પૈસાને ગમે તેમ વ્યય કરે તે જેમ ગેરવ્યાજબી છે તેમજ તેમાંનાં કઈ પણ ક્ષેત્રતરફ અને ખાસ કરીને સીદાતાં ક્ષેત્રતરફ ધ્યાન ન અપાય તે પણ ગેરવ્યાજબી છે. સાતક્ષેત્રમાં આ પણ મહાન સંસ્થા કેન્ફરન્સના સર્વ મુખ્ય ઠરાને સાર આવી જાય છે. શ્રીજિનબિંબ, જિનચૈત્ય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાતક્ષેત્ર છે અને તેના ઉદ્ધાર, અસ્પૃદય અને ઉન્નતિ માટે અનતે પ્રયાસ કર, પિતાનું તન, મન અને ધન તેમાં રોકવું, તેમાં અર્પણ કરવું તેની સાથે જેડી દેવું એ પ્રત્યેક મુમુક્ષુની પ્રથમ ફરજ છે અને તેમાં પણ અગાઉ જણાવ્યું છે તેજ પુનરાવૃત્તિ કરીને કહેવામાં આવે છે. જે ક્ષેત્રને મદદની વિશેષ જરૂર હોય તેને વધારે પોષવું, તેના ઉપર ધનાદિકને વિશેષ વ્યય કરે. અગાઉ દઢ શ્રદ્ધા જાગૃત કરવા, દેરાસર તથા પ્રતિમાજીઓ વિગેરેની જરૂર વિશેષ હતી, હાલ જ્ઞાન કાળ હોવાથી કેળવણીના સાધનની વિશેષ જરૂર છે, એ સર્વ હકીક્ત દયાનમાં રાખી અપેક્ષા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ વિચારી ગ્ય ક્ષેત્રમાં ધનને વ્યય કર,
બંધુઓ ! આ સંસારમાં અનેક પ્રકારે રઝળાવનાર સ્ત્રી અને ધન એ બેજ વસ્તુઓ છે, એમના ઉપર રાગ એવા પ્રકારને થાય છે કે, તેનું વર્ણન જ્ઞાનીઓ પણ પૂરેપૂરું આપી શકતા નથી. આમાં ધન ઉપરને સ્નેહ વધારે સપ્ત છે કે સ્ત્રીઉપરને હ વધારે સખ્ત છે તે કહેવું મુશ્કેલ છે. સીઉપરને સ્નેહ મેટી ઉમરે શરૂ થઇ છેડા વર્ષમાં ઓછો થઈ જાય