SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે, કટુવચન-અધિકાર. ૩૦૫ છે પરંતુ તેને કટુ લાગે છે માટે આ વચનને ઉચ્ચાર ન કર. ત્યારે કઈ પ્રશ્ન કરે છે કે પ્રિય લાગે તેવું અસત્ય વચન બોલવું? તેના પ્રત્યુત્તરમાં જણાવે છે કે પ્રિય લાગે તેવું અસત્ય વચન પણ ન બેલિવું એટલે કે એક મૂર્ખ માણસને કહેવું કે વાહ તમે ઘણુ બુદ્ધિશાળી છે, વિગેરે ન બોલવું એ સનાતન ધર્મ છે. ૫. " શબદરૂપી બાણ, हृदि विद्ध इवात्यर्थ, यया सन्तप्यते जनः । पीडितोऽपि हि मेधावी, न तां वाचमुदीरयेत् ॥ ६ ॥ વંત થીની વોપરી. જે કટુવાચાથી મનુષ્ય જાણે હૃદયમાં અત્યંત વિંધાણે હોય, તેમ સં. તાપ પામે છે ; તેવી વાણુને ઉચ્ચાર સુજ્ઞપુરૂષે પોતાની પીડિત અવસ્થામાં પણ ન કર. ૬. ઝેરનું પચી જવું. शार्दूलविक्रीडित. उल्कापातसहोदरं सहचरनैदाघझञ्झामरु ज्झम्पानां हरकण्ठलालितगरद्रोणीकुटुम्बीकृतम् । जिहाग्रे करपत्रमित्रमनिशं तत्कर्कशं दुर्वचो, यस्यास्ते वद कद्वदः कथमहो सोऽपि स्वयं जीवति ॥ ७ ॥ काव्यमालागुच्छक-अष्टम. ઉલ્કાપાતનું સહદર, ઉષ્ણાતુના વંટેળીયા પવનની ઝાપટેની સાથે ફરવાવાળું અને શંકરના કંઠમાં રહેલ ઝેરની કોઠીના કુટુંબરૂપ કેરાયલું કરવતના મિત્રરૂપ, કઠોર એવું દુર્વચન જે મનુષ્યની જિલ્લાના અગ્રભાગમાં હમેશાં રહે છે છતાં કુત્સિત ભાષણ કરનાર તે પુરૂષ જીવે છે! અહો આ મહા આશ્ચર્ય છે. ૭. વચનથી સુખી અને દુખી થવાય છે અને વચન એ ખરેખર પુરૂષની પરીક્ષાનું સાધન છે તેથી દરેક મનુષ્યએ કટુવચનને ત્યાગ કર અને * જે કોઇના પ્રાણ બચતાં હોય જેમકે પારાધી હરણને મારવા જાતે હોય અને પૂછે કે તમે મૃગલાં દેખ્યાં છે તો દેખ્યાં હોય તે કહેવું કે નથી દેખ્યાં આ સનાતન ધર્મ છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy