SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ ——-- વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. મદિરાપાન સમાન જગતમાં બીજું પાપ નથી. मननदृष्टिचरित्रतपोगुणं, दहति वहिरिवेन्धनमूर्जितम् । . यदिह मद्यमपाकृतमुत्तमैने परमस्ति ततो दुरितं महत् ॥ २० ॥ અગ્નિ જેમ ઇન્જન (કા) ને બાળી નાખે છે તેમ મદિરાપાન ઉત્તમ એવાં મનન (વિચારશક્તિ), શુભદર્શન, ચારિત્ર-સદાચરણ અને તપના ગુશુને બાળી ભરમ કરે છે. તેવા હેતુથી અહિં ઉત્તમ લેકે મદિરાને ત્યાગ કર્યો છે. કારણકે તે (મદિરાપાન) કરતાં હેઠું પાપ બીજું નથી. ૨૦ મદિરામત્તમાં ઉત્પન્ન થતા દુર્ગણે. त्यजति शौचमियति विनिन्यता, श्रयति दोषमपाकुरुते गुणम् । भजति गर्वमपास्यति सदगुणं, हृतमना मदिरारसलजितः ॥ २१ ॥ મદિરાના રસથી શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરનાર અને જેનું મન મદિરાથી હરાઈ ગયેલું છે એ મનુષ્ય શોચ (પવિત્રતા)ને ત્યાગ કરે છે, નિંધપણાને પામે છે, દેશને આશ્રય કરે છે, ગુણને ત્યાગ કરે છે, ગર્વ (અભિમાન) ને ભજે છે અને સદ્દગુણવાળા (મિત્રબંધુ) ને ત્યાગ કરે છે. ૨૧ મદિર એ ખરેખર ઝેર છે. प्रचुरदोषकरीमिह वारुणी, पिबति यः परिगृह्य धनेन ताम् । असुहरं विषमुग्रमसौ स्फुटं, पिबति मूढमतिर्जननिन्दितम् ॥ २२ ॥ અત્ર મૂઢ બુદ્ધિવાળે જે મનુષ્ય ઘણા દોષવાળી તે મદિરાને ધન આપી ખરીદીને તેનું પાન કરે છે, તે પ્રસિદ્ધ રીતે જનમાં નિંદાયેલ અને પ્રાણને હરણ કરનાર ઉગ્ર (પ્રચંડ) વિષનું પાન કરે છે. ૨૨. મદિરા એ સર્વ સ્થાવર જંગમ ઝેરી પદાર્થ કરતાં પણ વધારે ઝેરી છે. तदिह दूषणमङ्गिगणस्य मो, विषमरिभुजगो धरणीपतिः। यदसुखं व्यसनभ्रमकारणं, वितनुते मदिरा गुणनिन्दिता ॥ २३ ॥ દુષ્ટ ગુણોથી નિંદાયેલી મદિર જેવી રીતે જનસમૂહને-દૂષણરૂપ, વ્યસન (આસક્તિ) તથા ભ્રમવાળું દુખ આપે છે તેવી રીતે ઝેર, દમન, કાળે સર્ષ અને રાજા પણ અન્ન આપી શકતા નથી. ૨૩,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy