SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ મિષ્ટમ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. * માંસવર્જિતોત્તમતા-યિકાર. - M૬ માંસ શબ્દ એટલે બધે દયાજનક છે કે શુદ્ધ બ્રાહ્મણ તથા વૈશ્ય "હું તેનું નામ સાંભળતાં કરે છે પણ અધમ લે કે તેને છુટથી ઉપયોગ કરે છે. તેઓ અંત્યજ હોય તે એક તરફ રહ્યું પરંતુ હિંદુધર્મનું નામધારી તેવાં મુકૃત્ય કરે છે, તેઓએ આ નીચેની બાબતમાં અમાંસભજિ (માંસ ન ખાનાર) ને શું ફળ છે? તે લક્ષમાં લેવાની ઘણી જ જરૂર છે ઈત્યાદિ હેતુને લઈ આ અધિકારની શરૂઆત કરવામાં આવે છે. ' માંસના ત્યાગ માટે ધર્મરાજાને આપેલ ઉપદેશ. અનુષ્ટ્રમ્ (ર થી ૮). प्रभासं पुष्करं गङ्गा, कुरुक्षेत्रं सरस्वती । वेदिका चन्द्रभागा च, सिन्धुश्चैव महानदी ॥१॥ एतैस्तीर्थैर्महापुण्यं, यत्कुर्यादभिषेचनम् । સમક્ષ ૨ માંચ, સુર યુધિરિ / ૨ // હે રાજા યુધિષ્ઠિર! પ્રભાસક્ષેત્ર, પુષ્કરજી, ગંગાજી, કુરુક્ષેત્ર, સરસ્વતીજી, વેદિકા, ચંદ્રભાગા અને મહા નદી સિધુ આ સ્થળમાં જે સ્નાન કર્યું હોય તે આ તીર્થ વડે મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે એમ કહે છે પરંતુ જો માંસભક્ષણ કર્યું ન હોય તે તે મનુષ્યની તુલના તેઓની સાથે થઈ શકતી નથી. એટલે કે એક મનુષ્ય ઉપર જણાવેલ તીર્થો કર્યા હોય અને બીજા માણસે માંસનું ભક્ષણ ન કર્યું હોય તે આ બન્નેના પુણ્યને તુલામાં નાખી ભેખતાં તે બન્ને પુરૂષોના પુણયની સરખામણું થઈ શકતી નથી અર્થાત માંસાહારથી હિત મનુષ્યનું પુણ્ય વધી જાય છે એ ભાવ છે. ૧-૨. તથા— केदारे यज्जलं पीला, पुण्यमर्जयते नरः। - तस्मादष्टगुणं प्रोक्तं, मघामिषविवर्जिते ॥ ३ ॥ કેદાર તીર્થમાં જળપાન કરીને મનુષ્ય જે પુણ્યને મેળવે છે તેથી આઠ ગણું પુરૂય મદિરા તથા માંસને ત્યાગ કરનાર પુરુષમાં કહ્યું છે એટલે તે પુરૂષને તેનાં કરતાં આઠગણું પુણ્ય થાય છે. ૩,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy