SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે, કુતા-અધિકાર. ૨૦૯ ગુણહીનને આદર કરવા છતાં પણ તેની હીનતા મટતી નથી. अधः करोषि रत्नानि, मनी धारयसे तृणम् । दोषस्तवैव जलधे, रनं रनं तृणं तृणम् ॥ ४॥ હે સમુદ્ર! તું રત્નને તળીયે રાખે છે, ને તૃણને તારા મસ્તકઉપર રાખે છે. એ તારે જ દેષ છે. કારણકે તેથી રનની કિંમત ઘટવાની નથી અને તૃ ની કિંમત વધવાની નથી. એટલે રસ તે રલજ રહેવાનું ને તૃણ તે તૃણજ રહેવાનું છે. અર્થાત દુષ્ટ જનને સારે અધિકાર આપવામાં આવ્યું હોય તે પણ તે પિતાની સ્વાભાવિક દુષ્ટતા તજતો નથી, તે પ્રમાણે સુજનને કઢંગી સ્થિતિમાં રાખ્યું હોય, પણ તે પિતાની સ્વાભાવિક સુજનતા તજતો નથી. ૪. તથા– मणिलठति पादेषु, काचः शिरसि धार्यते । यथैवास्ते तथैवास्तां, काचः काचो मणिर्मणिः ॥५॥ - પગના ઘરેણુમાં જડેલ મણિ રજમાં આળોટે ને મસ્તકના ઘરેણામાં જડેલ કાચ પુષ્પના હારની સાથે મસ્તકઉપર વિહાર કરે, એ ભલે તેમ રહે પણ કાચ તે કાચ ને મણિ તે મણિજ છે. ૫. ધૂળના સંસર્ગથી હીરો કિંમતમાં ઘટતો નથી. मलोत्सर्ग गजेन्द्रस्य, मूर्ध्नि काकः करोति चेत् । कुलानुरूपं तत्तस्य, यो गजो गज एव सः॥६॥ ગદ્રના મસ્તક ઉપર કાગડે જે ચરકે તે તેમાં કાગડાએ તે પિતાના કુળને શેભે એવું કર્યું (અર્થાત કાગડે પિતાની હલકાઈ બતાવી.) પરંતુ હાથી તે હાથીજ રહેવાને (તેની પિતાની કાંઈ મહાન શક્તિ ઘટતી નથી.) ૬. પ્રતાપજ સર્વત્ર સમર્થ છે. बन्धनस्थो हि मातङ्गः सहस्रभरणक्षमः । अपि स्वछन्दचारी श्वा, खोदरेणापि दुःखितः॥७॥ હાથી કદાચ સંકળાયેલ હોય તે પણ હજારે જેનું પાલન પોષણ કરવાને શક્તિમાન છે પણ પિતાની મરજી માફક ફરનારે કુતરે પિતાનું પણ પેટ ભરવાને શક્તિવાળ નથી. અને તે દુઃખી થયા કરે છે. ૭. ૨૭
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy