________________
આ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પ્રશ્ન–હે મહારાજ? જેવી રીતે અરિહતે અહીં મહા પ્રભાવવાળા હેવાથી અને અનંત મહિમાવાળા હોવાથી સર્વ કેવળીઓ કરતાં શ્રેષ્ઠ છે તેમ મેક્ષમાં પણ સવ સિધ્ધ કરતાં તેમની સિદ્ધતા શ્રેષતાવાળી હોય છે કે નહીં?
ઉત્તર- હે ભવ્ય ! અહીં બીજા કેવળીઓ કરતાં તીર્થકરોને જે અધિક પ્રભાવ હેય છે તે તેમની ગ્યતા વિશેષથી ઉપાર્જન કરાતી મહા પુણ્યરૂપ શુભ કમરાશિના સહચારી ફળરૂપ હોય છે, તે કર્મને સહચારી ભાવ તે ભવસ્થને હેય છે. મોક્ષ તે તેમને પણ સકળ કર્મ ક્ષય જન્ય અન્ય સવજ્ઞાની સમાન જ હોય છે. કારણ સમાન હવાથી કાર્ય સમાનજ થાય છે. તેમ મેક્ષમાં સર્વ સિદઘેને કમના સહચારી પણાને સર્વથા અભાવ સમાન હોવાથી સિદ્ધ થયેલા અરિહંતની સિદ્ધતામાં કિંચિત્ પણ અધિકતા હોતી નથી.
આ પ્રમાણે કહી તીર્થકર અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
केवळी सर्व बराबर-अधिकार.
પ્રશ્નહે મહારાજ! જે પ્રમાણે અરિહંત, વીતરાગ સર્વજ્ઞ થાય છે, તેજ પ્રમાણે અન્ય જીવે પણ વીતરાગ સર્વજ્ઞ થાય છે કે કાંઈ ન્યૂનપણે થાય છે?
ઉત્તર– હે ભવ્ય! વીતરાગ સર્વજ્ઞ સર્વ તુલ્ય જ થાય છે. પ્રશ્ન–તેમના જેવી પુણ્યરાશિ બીજા ભવ્ય જીવે ઉપાર્જન કરી શકે કે નહીં?
ઉત્તર–જે ભાવનાથી અરિહતે તેવી મહા પુણ્ય રાશિ ઉત્પન્ન કરે છે તેવી ભાવના આવવાની એગ્યતા અન્ય ભવ્ય જીવમાં અનાદિથી નથી અને તેની ભાવનાની પરિણતિ વિના તેવી મહા પુણ્યરાશિ ઉપાર્જન થઈ શકતી નથી. કેદરાના બીજથી કમોદના અંકુરા ઉત્પન્ન થતા જ નથી તેથી ભાવિ અહિત વિના તેવી પુણ્યરાશિ અનેરા ભવ્ય જીવે ઉપાર્જન કરી શકે નહીં.
આ પ્રમાણે કહી કેવળી સર્વ બરાબર અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
* તત્વ વાર્તા.