SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહુ. પ્રયમ અનિત્ય છે, અને આત્મા અવિનાશી છે, તે રૂપી ચિંતનની પરિણતિ, તેણે કરીને જેના અભિપ્રાય પવિત્ર છે એવા તમે ભક્તિ એટલે એકાગ્ર ચિત્તવૃત્તિરૂપ આરાધ્યતાની પરિણતિ, અને શ્રદ્ધાન એટલે ચિત્તની પ્રસન્નતા, તે પૂર્વક જન મતમાં પરમ આસ્તિકય, તે રૂપી કેશર સાથે મિશ્રિત ચત્તુને બ્રહ્મચર્ય રક્ષણના નવ અ‘ગ−ઉપાયા ને વિષે પૂજા કરતા, નિર્વિકાર આત્મસ્વભાવરૂપ દેવને પૂજો. ૧–૨ પ્રભુના અંગમાં કેવી જાતની પુષ્પ માળા તથા વસ્ત્ર આભૂષણે ધરાવવાં જોઈએ ? क्षमापुष्पस्त्रजं धर्मयुग्मक्षौमद्रयं तथा । યાનામરળતામાં ચ, તરૂ, વિનિવેશય !! ૨ ॥ શબ્દા —ક્ષમારૂપી પુષ્પના હાર, એ ધર્મરૂપી એ વસ્ત્રા, અને ધ્યાનરૂપી શ્રેષ્ઠ આભરણ, તે પ્રભુના અંગે સ્થાપા. વિવેચન—ક્ષમા એટલે-ક્રોધ ત્યાગની પરિણતિ, તે રૂપી સુગંધી પુષ્પની માળા, ધર્મ એટલે શ્રુત, ચારિત્રપ અથવા દેશ વિરતિ, સર્વવિરતિરૂપ; અથવા નિશ્ચય, વ્યવહારરૂપ, તેનુ યુગ્મ, તે રૂપી બે વચ્ચે અને ધર્મ અને શુકલ ધ્યાનરૂપ શ્રેષ્ઠ અલ’કાર, પૂર્વોક્ત શુદ્ધાત્મ દેવના શરીર ઉપર વિશિષ્ટ વિધિએ રચેા-સ્થાપા, ૩. પ્રભુ આગળ અષ્ટ મગળ લખી કેવી રીતના ધૂપ કરવા? मदस्थानभिदात्यागैर्लिखाग्रे चाष्टमङ्गलीम् । ज्ञानानौ शुभसङ्कल्पकाकतुण्डं च धूपय ॥ ४ ॥ શબ્દા—મસ્થાનના પ્રકારોના ત્યાગે કરીને તે દેવની સમક્ષ અષ્ટ મગળ રચા; અને જ્ઞાનાગ્નિને વિષે શુભ સ‘કપરૂપ કૃષ્ણાગુરૂના ધૂપ કર વિવેચન—મદ એટલે અહંકાર વિશેષ તેના આઠ સ્થાને છે. એટલે કે જાતિમદ, કુળમદ, મળમદ, રૂપમદ, શ્રુતમદ, તપમ, પ્રભુતામદ, અને લાભમઢ તેના પ્રકારાના પરિહાર કરી શુદ્ધાત્મ દેવના મુખાગ્રે સ્વસ્તિક આદિ અષ્ટ મગળ રચા, અને નિળ જ્ઞાનરૂપી મરહિત વહ્નિને વિષે ઉજવળ મનાથ રૂપી કૃષ્ણગુરૂને ધૂપ કરો, જ કેવી જાતનું લવણેાતાર કર્મ કરવુ ? તથા કેવા પ્રકારની આરતિ કરવી? माधर्म लवणो तारं, धर्मसन्न्यासवह्निना । कुर्वन् पूरय सामर्थ्यराजन्नीराजनाविधम् ॥ ५ ॥
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy