SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ. વશ્ય તમે કહેવાનાજ કે તે વાંક સૂર્યના નોંઢું પણ પેલા મનુષ્યના સૂર્ય તા પેાતાના કિરણદ્વારા જગમાં પ્રકાશ આપ્યાજ કરે છે પણ તેને ગ્રહણ કરવા થા ન કરવા એ મનુષ્યનું કામ છે તેવીજ રીતે પરમાત્મા તેા સદા સુખને માટે પ્રવર્તે છે પણ તેમના અભિમુખ રહી સુખને મેળવવું યા વિમુખરહી દુઃખને મેળવવુ એ મનુષ્યનુ કામછે સામર્થ્યદિ કયાં છે! એવા કેઇ પ્રશ્ન કરે અને કહે કે અમારે તે સુખ અને સામર્થ્ય મેળવવું તે ઘણુંય છે પણ કરીએ શુ ? સમુદ્રના જળની ઈચ્છા તેા હાય પણ જ્યાં સમુદ્રજ દીઠા ન હેાય યા તે સમુદ્ર કયાં છે તેનુ જ્ઞાનજ્ ન હેાય તે પછી સમુદ્ર જળ કર્યાંથી મેળવવું ? આવે પ્રશ્ન ઉઠવા એ સ્વાભાવિક છે. આ સામÎદધિ તમારીજ પાસે છે. તે સૂર્ય જેટલે ઉંચે, કે સમુદ્ર જેટલે વેગળે નથી તે તમારી નજીકમાં નજીક છે. તે પહાડ પતે કે ગુફામાં નથી, તે તમારી નિકટમાં નિકટ છે. તે તમે જાણા છે છતાં તે વચને ઉપર અવિશ્વાસ રાખી તેને મેળવવાને તમે કદી પણ પ્રયત્ન કર્યાં નથી અને તેથી જ તે તમારી નિકટ હોવા છતાં તમને વેગળે અને વેગળે ભાસે છે. ક પરમાત્મા તમારામાંજ છે તમારા હૃદયમાં સુખના કિરણાને પ્રસરાવતા તે સદાકાળ વિરાજમાન છે. તે કરામાં પ્રવેશ કરી સુખને ગ્રહણુ કરવું એ તમારૂં કામ છે. તે કિરણેામાં પ્રવેશ ન કરતાં, જેમ અધારી કોટડીમાં રહી સૂર્યના પ્રકા શને કોઈ ગ્રહણ ન કરી સૂર્યને દોષ દે તે તે મૂર્ખ ગણાય, તેમ તમે જે, પરમા ભાભિમુખ થઈ સુખના કિરાને ગ્રતુણુ કરી ન શકતાં દુઃખના રાદડાં રડયાં કરા તા તેમાં પરમાત્મા સુખ નથી આપતા એ કહેવું એ મૂર્ખતાભયુ ' કહેવાય છે. પરમાત્માભિમુખ થવાને માટે જે રસ્તે પરમાત્મા પસે જવાય છે તે રસ્તાની વચ્ચે આરે આવેલી વસ્તુઓને આપણે ખસેડવી જોઇએ. જેમ ઘરનાં બારણાં ઉઘા ડવાથી સૂર્ય પોતાની મેળે તેમાં પ્રકાશ નાખે છે, તેમ આપણે પણુ. પરમાત્માનાં સુખમય કિરણેાને ગ્રહણ કરવાને માટે શુભ વિચારા રૂપી દરવાજાને ઉઘાડવા જોઈએ અને આ પ્રમાણે કામના, ક્રોધના, મોહના, ભયના ઉદ્વેગના, દ્વેષના અને એવાજ અશુ ભવિચારાને દૂર ખસેડી પરમાત્માનાં સુખમય કરણાને ગ્રડુ કરવાં જોઈએ. ઉપરાકત હકીકતથી પરમાત્મા તમારામાંજ વિલસી રહ્યા છે, તે જાણી તમ રા હૃદયમાંજ તેમનું નિવાસસ્થાન તે પ્રતિ અભિમુખ થાવ. અભિમુખ શી રીતે થવુ' એવા પ્રશ્ન આ થળે સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે. પરમાત્માકાર વૃત્તિ કરા, પરમાત્મા જયારે તમારા હૃદય ગમ પ્રદેશમાં છે એવુ તમે જાણ્યું તે પછી તેમના પ્રતિ એકાગ્ર વૃત્તિથી તેમના ગુણુ અને સામર્થ્યનું ચિંતન કરતા તમારા વિચારાનાં કડાંને વેગળાં મૂકે અને માત્ર પરમાત્માના ગુણ ધર્માંના વિચારાનેજ ગ્રહણ કરી તેજ વિચારરૂપ દોરડે વળગ્યા વળગ્યા જાવ.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy