SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પૂજાને માટે વીશ ઉદ્યાન તથા વીશ ગામ આપીને તળેટીમાં બાહડપુર નામે ગામ વસાવ્યું. તે ગામમાં ત્રીભુવનપાળવિહાર નામને પ્રાસાદ કરાવીને તેમાં શ્રીપાશ્વનાથનું બિંબ સ્થાપન કર્યું. તે મંત્રીના આવા કેત્તર ચરિત્રથી પ્રસન્ન થઈને શ્રી હેમચંદ્રાચાર્ય બોલ્યા કે जगद्धर्माधारः सगुरुतरतीर्थाधिकरणस्तदप्यहन्मूलं स पुनरधुना तत्पतिनिधिः।। तदावासश्चैत्यं सचिव भवतोध्धृत्य तदिदं समं स्वेनोद्दधे भुवनमपि मन्येऽहमखिलम् ॥ १ ॥ ભાવાથ– જગતના ધર્મને આધાર અને મોટા મોટા તીર્થોનું અધિકરણ અહંત મૂલક છે. સાંપ્રત કાળમાં તે અરિહંતને બદલે તેની પ્રતિમા છે, તે પ્રતિ માના આવાસરૂપ ચયન તે ઉદ્ધાર કર્યો, તેથી હું માનું છું કે સચિવ! તે તારા આત્મા સહિત આખા ભુવનને ઉદ્ધાર કર્યો. એ પ્રમાણે સકળ સંઘે સ્તુતિ કરાયેલા વાગભટ (બાહડ) મંત્રી પાટણમાં આ વ્યા, અને રાજાને પ્રસન્ન કર્યા. હવે આગ્રટે (અંબડે) પણ પિતાના શ્રેયને માટે શ્રી ભૃગુપુર (ભરૂચ)માં શકુનિકાવિહાર નામને પ્રાસાદ કરાવવાનો આરંભ કર્યો. તેને માટે ખાડો ખોદતાં નર્મદા નદી પાસે હોવાથી તેનું પાણી અકસમાતું તેમાં ભરાઈ ગયું. તેથી સર્વ કારીગરે તેમાં ડૂબી ગયા. તે હકીકત સાંભળતાં અનુકંપાના સવિશેષપણુથી આમભટે પિતાના આત્માની નિંદા કરતા સ્ત્રી પુત્ર સહિત તેમાં ઝંપાપાત કર્યો. એ પ્રમાણે પડયા છતાં પણ તેના અંગને કાંઈ પણ નુકશાન થયું નહીં. આવું તેનું નિઃસીમ સત્વ જોઈને પ્રસન્ન થયેલી સ્ત્રીરૂપ કઈ દેવીએ તેને બોલાવ્યું. એટલે તેણે તેને પૂછયું કે “તમે કેણુ છે ?” તે બોલી કે “હું આ ક્ષેત્રની અધીષ્ઠાત્રી દેવી છું. તારા સત્ત્વની પરીક્ષા કરવા માટે આ સવ મેં કર્યું છે. હે વીર! તું ખરેખર પ્રશંસા કરવાને ગ્યા છે. વીરપુરૂમાં અગ્રણું છે, તારું સત્વ અતિ ઉત્કૃષ્ટ છે, નહીં તે બીજા ઘણા માણસો છતા થડા માણસનું મરણ થવાથી તારી જેમ આ પ્રમાણે મરવાને કાણું તૈયાર થાય? આ તારા સર્વે કારીગરે અક્ષતાંગજ છે તેના વિષે તું ચિંતા કરીશ નહીં. હવે તારૂં ધારેલું કાર્ય પૂર્ણ કર” ઈત્યાદિ કહીને દેવી અંત. ધન થઈ. મંત્રી કુટુંબ અને કારીગરે સહિત બહાર નીકળે. પછી દેવીને યોગ્ય બળિયાન આપીને અઢાર હાથ ઉંચે શ્રી મુનિસુવ્રત સ્વામીને પ્રાસાદ કરાવ્યું, તથા શકુનિકા મુનિ અને ન્યધ (વડ)ની લેપ્યમય મૂર્તિઓ કરાવી. આ શકુનિકાવિહારને ઉદ્ધાર સંવત ૧૨૨૦ની સાલમાં અંબડે હર્ષ પૂર્વક કરાવ્યું. પછી પ્રતિષ્ઠાને
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy