SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ કાંટાઓના અગ્રભાગથી વીંટાઈ ગયેલ છે, અને તુ કરડે મકોડાના યાનરૂપ છો. વળી જ્યારે તેને કાપવામાં આવે છે ત્યારે તું ફળને આપનારા વૃક્ષની વાડરૂપ થઈ રહે છે એટલે બીજાના ફળ લેવા દેતું નથી એ રીતે તું સવા સત્સંગથી રહિત છે તેથી તારૂં હમણું શું વર્ણન કરી શકાય? ૧૯. ગુણું પુરૂષને સંગ છેડવાથી કલ્યાણમાં હાની. धर्म ध्वस्तदयो यशश्च्युतनयो वित्तं प्रमत्तः पुमान् काव्यं निःप्रतिभस्तपः शमदयाशून्योऽल्पमेधाः श्रुतम् । वस्त्वालोकमलोचनश्चलमना ध्यानं च वांछत्यसौ । यः संग गुणिनां विमुच्य विमतिः कल्याणमाकांक्षति ॥२०॥ જેમ દયા રહિત પુરૂષ ધર્મને, ન્યાયરહિત યશને, આળસુ પૈસાને, બુદ્ધિહીન કાવ્યને, શમ–દયા રહિત તપને, અલપ બુદ્ધિવાળા શાસ્ત્રને, આંખ વિનાને વસ્તુ જેવાને, અને ચંચળ મનવાળે ધ્યાનને ઈચ્છે છે પણ તેમ બનવું અશક્ય છે તે પ્રમાણે ગુણવાન મનુષ્યને ત્યાગ કરીને જે કલ્યાણની (મેક્ષની) ઈચ્છા રાખે છે તે વ્યર્થ છે. ૨૦ સત્સંગનું માહામ્ય. ઈદ્રવિજ્ય સર્પ સે સુ નહી કછુ તાલક, વિછુ લગે સુભલે કરી માને; સિંહ હ ખાતે નાહી કછુ ડર, જો ગજ મારતો નહીં હાને. આગ રે જલ બૂડિ મરે, ગિરજાએ ગિરે કછુ ભેંમત આન, સુંદર ઔર ભલે સબહીં પર, દુર્જન સંગ ભલે નાહી જાને. ૨૧ સિહતણી કરિયે કદિ સબત, મસ્ત થયે ન મહાબત રાખે, લોપ કરે હિત કેપ કરી પછિ, નિર્દય થઈ પળમાં હણિ નાખે; મિત્ર અમિત્ર ન તત્ર ગણે, તને ચામડી ચીરિ ચુપચુપ ચાખે; એ દલપત ભલે પણ દુષ્ટ, અદાવત રાખી નડે ભવ આખે. ૨૨ દુષ્ટ થકી દુર જે વિશિયે, ખસીમેં ખળને પરખી પડછાયે; હિત નિહાળી થવું નહિ હર્ષિત, ગુણ ભરે બહુ વર્ણવિ ગાયે, ગર્દભની કદિ થાય ન ગાય, ગમાર ભલે જમુના જલ નાહ્યા, દુષ્ટની સેબતથી દલપત, નથી જગમાં સુખ કે કમા. ૨૩
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy