SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ ૪૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ કુસંગને બીજા શબ્દોમાં કહી તે દુર્જનની સેબત કહી શકાય. પૂર્વે આપણે ગત અધિકારમાં દુર્જનના દુરાચરણે માટે બહુ વિસ્તારથી જાણી ગયા છીએ તેવા દુરાચરણના અંગ કે સપર્શ માત્રથી કેવા અનર્થો થાય છે તે પણ જોયું છે કેમકે તેમના મન, વચન અને કાયા ત્રણે હળ હળ વિષથી ભરેલાં હોય છે. એટલું જ નહિ પણ તેની આસપાસનું વાતાવરણ પણ કેવળ દુર્ગધમય હોય છે આટલા માટે તેવાઓથી છેક નિરાળા રહેવાની વિશેષ આવશ્યકતા સમજાવવા આ કુસંગતિ અધિકારને આરંભ કરવામાં આવે છે. દુર્જન સમક્ષ રહેવાથી તાડનનો ભય. મનુષ્ય. (૧ થી ૭) छिद्राणां निकटे वासो, न कर्तव्यः कदाचन । घटी पिबति पानीयं, ताड्यते पश्य झल्लरी ॥ १ ॥ કોઈ પણ વખતે છિદ્ર (કાણુરૂપ એવા દુર્જન)ની સમીપે વાસ ન કર કારણ કે છિદ્રવાળી ત્રાંબાની વાટકરૂપ ઘટી કે જે ઘડીએ ઘડીએ પાણીમાં ડુબીને પ્રાણીનું પાન કરે છે છતાં તેને આશ્રય કરવાથી ટકરાની જાલર વારંવાર તાડનને પ્રાપ્ત થાય છે. ૧ રાવણના પાપે રાક્ષસોને નાશ. रावणेन कृते पापे, राक्षसानां तु कोटयः। हताः श्रीरामभक्तेन कुपितेन हनूमता ॥२॥ રાવણ નામના રાક્ષસે પાપ કર્યું અને તેના પાપથી શ્રી રામચન્દ્રજીના ભક્ત કે પાયમાન થયેલ હનુમાનજીથી કરડે રાક્ષસો હણી નખાણું. તેમ કુસંગીના સંગથી ઘણાને દુઃખ પ્રાપ્ત થાય છે માટે કુસંગ ન કરે. ૨ ઉત્તમ કુળના મનુષ્યને કુસંગની અસર, विकाराय भवत्येव, कुलजोऽपि कुसङ्गतः । जलजातोऽपि दाहाय, शङ्खो वह्निनिषवणात ॥३॥ મનુષ્ય ઉત્તમ કુલમાં જન્મે છે તે પણ કુસંગથી વિકારી થાય છે જેમકે શંખ જલ (શીતળ પાણ)માં જન્મે છે તો પણ તે અગ્નિના સંગથી દાહક થાય છે (અર્થાત્ શંખની કરેલી ભસ્મ ચુન ગણાય છે ને તેમાં પાણી નાખવાથી હાથ દાઝે એવું ગરમ પાણી થાય છે.) ૩
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy