________________
પરિચ્છેદ દુનિનિદા-અધિકાર
૩૮૫ નકટા મનુષ્યના શહેરમાં એક વેપારીનું જવું.
ટાધરા. पण्याजीवस्तु कश्चित् कचिदपि नगरे यत्र विग्रासमग्रा व्यग्रोऽभूत्तत्र गत्वा गरूड इति वचस्तर्जितस्तालिकाभिः । तत्रत्यैरेव सर्वैरथ स कथमपि स्वां च चिच्छेद नासां,
दुष्टाः स्वैरेव दोषैरधिगतसविधान्योजयन्त्येव साधून् ॥ १७ ॥ એક વેપારી કોઈ નગરમાં ગયો કે જ્યાં સર્વ મનુષ્ય નકટાં (નાક હિત) રહે છે, તેમને જોઈને સર્વ નાકકટાં મનુષ્ય એક બીજાને તાળી આપીને “આ ગરૂડ છે, આ ગરૂડ છે,” એમ મશ્કરી કરવા લાગ્યાં, આવી મશ્કરી નહીં સહન કરવાથી તેણે પિતાનું નાક મહા મહેનતે કાપી નાખ્યું, આ રીતે દુષ્ટ પુરૂષ સત્પરૂ ઉપર પિતાના દેષને આરેપ મેલીને દોષિત કરે છે. ૧૭
સત્પુરૂષ ફક્ત જ્ઞાનીનો ગુરૂ છે તે માટે દષ્ટાંત. * કોઈ એડ ગામમાં એક ભલે માણસ હતું તે સાને પ્રસંગોપાત બહુ સારે ઉપદેશ આપતા હતા, તેથી ઘણું લેકે તેને ગુરૂ તરીકે બહુ માન આપતા હતા; તેથી તે ભલા માણસની એક મૂર્ખ માણસને અદેખાઈ લાગી. તે મૂખને એમ વિચાર થયો કે એ માણસ બધાને ગુરૂ તે શા માટે થઈ બેઠે છે; એવા તે દુનિયામાં સ. તરસે પડ્યા છે. એ મફતનું માન ખાટી જાય છે ને મારે તે કઈ ભાવ પણ પૂછતું નથી. માટે એનું ગુરૂપણું ભૂલાવું તે હું ખરો. લાગ મળે ત્યારે પ્રયત્ન કરીશ એટ. લે એની મેળે પાધર થઈ જશે. એમ ધારી તેને લાગ જોવા લાગ્યા. એટલામાં તે ભલો માણસ બહાર ગામ જતો હતો, ત્યાં રસ્તામાં પેલો અદેખો મૂર્ખ માણસ સામે મળ્યો. તેથી પિતાના હાથમાં પી ડાંગ ઉપાડીને કહ્યું કે, ગામમાં બધાને ગુરૂ બને છે તે તું કે? ત્યારે તે ગુએ જવાબ દીધો કે, કેમ ભાઈ? તારે શું કામ છે? ત્યારે તેણે કહ્યું કે મારે તેની ખબર લેવી છે, ડીક પૂજા કરવી છે. ગુરૂ ચેતી ગયા, એટલે તેણે કહ્યું કે ભાઈ? હું તે જ્ઞાનીને ગુરૂ છું; અજ્ઞાનીને દાસ છું. તારે તે હું દાસ છું; હું કાંઈ તારે ગુરૂ નથી; મને તું શું કરવા મારે છે? એવી રીતે કાલાવાલા કરીને તેને સમજાવ્યા ત્યારે તેણે તેને છોડી દીધો.
આવી રીતે સારા ગુરૂઓ છે કે જેમાં નવું જાણવાની ઇચ્છાવાળા છે, ધર્મ ઉપર પ્રેમવાળા છે, અને જેને પ્રભુના નામની લેહ લાગી છે. તેઓને માટે છે. આસુરી
* સ્વર્ગ વિમાન.