________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ वरं न्यस्तो हस्तः फणिपतिमुखे तीक्ष्णदशने,
वरं वह्नौ पातस्तदपि न कृतः शीलविलयः ॥ ४॥ મોટા પર્વતના શિખરના-ઉત્સગ-ખોળામાંથી કોઈ પણ વિષમ સ્થાનમાં આ દેહને પાડીને કઠિન શિલાઓના અન્તમાં ચૂરેચૂરા કરી નાખવો તે પણ સારું, તથા તીક્ષણ દન્તવાળા સર્પના મુખમાં હાથ નાખો તે પણ સારૂં, અગ્નિમાં પડવું તે પણ સારૂં, પરંતુ શીળ-સદાચરણને નાશ કરવો તે સારું નહિ૪
આ પ્રમાને વ્રતહિન જીવતવ્યની નિષ્ફળતા દર્શાવતાં આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
ગ્રંથ સંગ્રહિતા
ગીતિ, विनयविजय मुनिनायं चतुर्य परिच्छेद एवमत्रव
सङ्ग्रथितः सुगमार्थ व्यारख्यातॄणां मुदेसदाभूयात् વિનયવિજય મુનિએ આ (વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ) ગ્રંથનો ચતુર્થ પરિ. છેદ વ્યાખ્યાન કરનારાઓની સુગમતા માટે સંગ્રહિત કર્યો છે, તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાધ્વીઓ આદિના આનંદને માટે થાઓ.
चतुर्थपरिच्छेद परिपूर्ण.
(