________________
પરિચ્છેદ
કુ બ્રાહ્મણ-અધિકાર
૩૨૨
બ્રહ્મવ તણે તું તજ ફાંકે, બળિ મરતે થી ભણીને બાંકે; નહિ વલ્લભ વાળ થશે વાંકે, બ્રાહ્મણ ભટ્ટા,
૪૭ લેભી બ્રાહ્મણ ભાવનગરમાં માધવજી ભટ કરીને બ્રાહ્મગુ રહે છે. શાસ્ત્રાનુસાર પિ તાને ધર્મ શું તે કાંઈ સમજને નહીં. જરા વાંચતા લખતાં નાનપણમાં શીખેલ, તે પણ ભાગ્યને ભૂલી ગયેલ હતું. પિતે બેસીને વાચાળ હોવાથી માની લીધું કે વિદ્યા ભણવાથી વિશેષ શું છે ? ભણેલા ઘણા ભૂખે મરે છે, વેદીઆ ઢેર જેવા હોય છે. આજકાલ હજારે બ્રાહ્મણો નવી નવી યુક્તિ કરી ભીખ માગવાનું લઈ બેઠા છે, તે કરવા આપણે ક્યાં કમ હશિ બાર છીએ? આપણે તે ધંધે ઈશ્વર સલામત રાખે તે બસ છે? બાપદાદા ના પના એમ ભીખ માગી મરી ગયા, તેમને કાંઈ અને ડચણ પડી નથી, તે આપ | જે યાને અડચણ દાની પડવાની છે, માટે ભવાની માથાકૂટ કેણું કરે. એવા નિશ્ચયથી તેણે પિતાને મળેલા બ્રાહ્મગુના અમૂલ્ય અવતારની ખરેખરી ફરજો સમજી કાંઈ સાર્થક કર્યું નહીં, પણ પિતાને વંશ પરંપરાને વારસામાં ઉતરેલા ભીખ માગવાને ધંધો શરૂ કર્યો, અને તેમાં ઘણું અક્કલ દેડાવી યુક્તિ કરી તે વાચક નીચેની હકીકતથી જાણી અજાયબ થશે.
. “ભીખ ને ભારે તે સવારને સાર” એ કહેવત અનુસરી ભટજી સવારના ઉઠે ત્યારથી તે દશ બાર વાગતા સુધી, હાથમાં વટલેઈ સાથે ઘરોઘર ભટકવું શરૂ કરે. પાઠ પૂજા, સંધ્યા વંદનાદિ પોતે જાણતા હોય તે દરેકની ? વખત પ૨ નવાયું તે ભલે, નહિતર વગર ના હૈ પણ ભસ્મ ભુસી યા ટીલા ટબકાં કરી નીકળે, પુરૂષ કરતાં સ્ત્રી વર્ગમાં તેનું વધારે ફાવતું. કોઈને ધર્માત્મા તે કોઈને ગબ્રાહ્મણ પ્રતિપાળ, કેઈને સવરીબાઈ તે કઈને મીરાં બાઈ, કોઈને અન્નપૂર્ણા, તો કોઈને મહાલક્ષ્મી, વગેરે ઉમદી ઉપમા આપી પુલાવી પટાવી પુષ્કળ લોટ, દાળ આદિ ઘેર લાવતે; આ સવારનું તેનું નિત્ય કર્મ હતું.
સંક્રાંતિનું પર્વ આવવાનું હોય ત્યારે આઠ દિવસ આગળથી ને આઠ દિવસ પાછળથી ભટજી ગામડામાં માગવા નીકળે. “સંક્રાંત પુન્ય પર્વણિ” ના લાંબા સાદથી ખેડૂતના ખળાં ગજાવી મૂકે, સવારથી સાંજ સુધીમાં ત્રણ ચાર ગામને ફેરી ફરી, બે ત્રગુ મણ દાણાને કોથળા ભરી, મજુરની પેઠે માથે ઉપાડી ઘેર લાવે. ખુદ સંક્રાંતને દિવસે શહેરમાં માગવા નીકળે, કેમકે શહેરવાળા તે પર્વના દિવસેજ આપે. શહેરને બધા ગામડામાં ફરી શકાય નહીં, જેથી પકા બ્રાહ્મણે સંક્રાંતનું પૂંછડું લાંબુ કરી દીધું. ન જ કૌતુકમાળા.