SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ક ઉત્સર ભાષિષઅધિકાર. उत्सूत्र भाषिदोष-अधिकार. પૂર્વે આપણે જે કુવકતાનું સ્વરૂપ જોયું તેમાં મેટે ભાગે આ પ્રસંશાના અધિકારી અને બાહ્યાડંબરથી ભરપૂર વકતાના સ્વરૂપનું ભાન થાય છે. જ્યારે કેટલાક વકતા-જ્ઞાતા પિતાના જ્ઞાનને આડે માર્ગે લઈ જનારા પણ હોય છે. કે જે વધારે અધમ છે. ધર્મપ્રવર્તકો અને મહાન જ્ઞાતા યાને ત્રિકાળદશી કહે કે પછી કેવળજ્ઞાનની કઈ સ્થિતિએ પહેવા મહાપુરૂષે જે જે સૂત્ર-શાસ્ત્ર રચી ગયા છે તે સમજાવવામાં અને વધારે ફુટ કરવામાં પોતાના સમર્થને પુષ્ટિ મળે તેવા મનસ્વી તર્કો ઉમેરી મૂળ હેતુને ભૂંસી નાંખવો અથવા આડે માર્ગે લઈ જવાનું કામ અર્ધદગ્ધ આત્મ શ્લાઘાના ઉપાસક માં રહેલ હોય છે. આવા શાસ્ત્ર વચનનું ઉમૂલન કરનાર વર્ગ ઉસૂત્ર ભાષિ કહેવાય છે. તેવા પુરૂષે ખરૂં કહીએ તો સ્વ–પરનું અહિત કરે છે. કેમકે સૂવને અનર્થમાં લઈ જવાથી પિતે ડુબે છે અને બીજાને પણ આડે માર્ગે ડેરી જઈ ડુબાવે છે. તેવા ઉસૂત્ર ભા ષિનું સ્વરૂપ તથા તેના દેષની જવાબદારી આ અધિકારથી દર્શાવવા માં આવે છે. જનાજ્ઞા ભંગનું ફળ ut. (૧ થી ૧૧ ) जिणवरआणाभङ्ग उमगा उस्सुत्तले सदेसणयं । आणाभड्ने पावं ता जिणमयदुक्करधम्मं ॥ १ ॥ જિનભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અંશ માત્ર પણ ઉપદેશ દેવામાં આવ્યું હોય તે જીનભગવાનનીજ આજ્ઞા ઉલ્લંઘન કરી ગણાય, અથવા ચાલતા શુદ્ધ માર્ગનો ત્યાગ કરી અવળે માગે પ્રાર્તન કર્યું ગણાય. કારણ કે જીનભગવાનની આશા ભંગમાં એટલું બધું તે પાપ છે કે જિનધર્મ મેળવવો અતિશય કઠિન થઈ પડે છે. ૧ કેવા ઉપદેશકથી દૂર રહેવું ? बहुगुणविजाणिलओ उस्सूत्तभासी त हावि मुत्तव्यो । जह वरमणिजुत्तो विहुविग्धपरो विसहरो लोए ॥२॥ છ ૧ થી ૧૨ ઉપદેશ સિદ્ધાંતરનમાળા.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy