SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ કુવક્તા-અધિકાર. તેઓને વ્યવહાર જે હોય તે તેના જ્ઞાનની અસર માત્ર પણ તેમાં જણાતી નથી. આવા કેટલાક ડોળઘાલઓ બહુ નુકશાન કરે છે; જેતે ડૂબે છે અને પથ્થરના નાવની જેમ સાથે બેસનારને ડુબાડે છે, તેમજ ધર્મને . શું વગેરે છે. અમુક હદ સુધી જ્ઞાન અને ક્રિયાની જરૂર છે આટલા ઉપરથી ક્યારે એકાંત પક્ષ કરવાને આ હેતુ છે એમ ધારવાનું નથી; જ્ઞાનાભ્યાસની જરૂર બહુજ છે તે અમે સ્વીકારીએ છીએ, પણ કેટલાક પ્રમાદી જીવે તેનું બહાનું કાઢી કિયા તરફ અપ્રીતિને દેખાવ કરે છે. એટલું જ નહીં પણ શુદ્ધ ક્રિયા કરનારને હસી કાઢે છે, તેઓને નીચેના બે મહાન વાક્ય લક્ષમાં લેવાની આવશ્યકતા છે. ક્રિયા રહિત જ્ઞાન માત્ર નિષ્ફળ છે, કેમકે રસ્તાનો જાણનાર પણ ગતિ કર્યા વગર વાંછિત નગરે પહોચતું નથી. '' ( જ્ઞાનસાર ૯-૨ શ્રી મદવિજયજી ) “ક્રિયા વિના જ્ઞાન નહીં કબહું, ક્રિયા જ્ઞાન બીજુ નાહી; ક્રિયા જ્ઞાન દેઉ મિલત રહત છે, જે જલસ જલમાંહી પરમ ગુરૂ જેન કહે કયું હવે છે ” આ પણ એજ ધુરંધર વિદ્વાનનું મહાવાક્ય છે. કહેવાની મતલબ એજ છે કે દેખાવ કરો નહિ, શુદ્ધ વર્તન કરે; દરેક માણસ મેટે થવા કે ધનવાન થવા બંને ધાયેલો નથી, પણ ભલે-સાર થવા બંધાયેલ છે. આ અધિકારમાંથી એટલું પણ જણાય છે કે વિશેષ અભ્યાસ ન કર્યો હોય તે પણ શુદ્ધ શ્રદ્ધાથી ક્રિયા કરનાર છે. ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરે છે. છેલ્લા લેકમાં “રાસભનું' દષ્ટાંત મનન કરવા જેવું છે. જ્ઞાન ભણવાની પૂરેપૂરી-બહુજ જરૂર છે, પણ ભણુને પછી આગળ વધવું, એ હુંકાર કે દેખાવ કરે નહિ, મુખ્ય રસ્તો એજ છે કે જ્ઞાનને અભ્યાસ કરી પિતાને યોગ્ય ક્રિયા કરી શુદ્ધ વ્યવહાર કરે, કારણ કે જ્ઞાનનું ફળ જ વિરતિ છે. નહિ તે તે જ્ઞાન વદે છે. સાધુ હે તે સંસારની અસારતા વિચાર, ધર્મોપદેશ આપી લોકેને રસ્તે દેર, ઇંદ્રિપમ સંયમ કર, મન પર અંકુશ રાખ, તું શ્રાવક હે તે વ્રત દઢતા રાખ, વ્યવહા૨ શુદ્ધ રાખ, ચિત્તવૃત્તિમાંથી કચરો કાઢી નાખ, દેખાવ કરવાની ચાહનામાં ફસાઈ જઈશ નહિ. આ જમાનામાં ફક્સાવાનું કારણ બાહ્ય દેખાવ જ છે અને તેમાં ઘણું માણસે લલચાઈ જાય છે. ચિદ પૂર્વધર જ્યારે પ્રમાદવશ થઈ નિગેદમાં રખડે છે, ત્યારે સારી રીતે સામાયિક કરનાર ક્ષે જાય છે. તેનું કારણ સૂક્ષ્મ બુદ્ધિએ વિચારવા એગ્ય છે. શ્રદ્ધા પૂર્વક અનુષ્ઠાન સિવાય અંગારમર્દ કાચાર્યાનું જ્ઞાન શું કામ આવ્યું ?
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy