SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ ૨૮૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ગુરૂનું બીજું લક્ષણ કહ્યું છે તેને પણ તેનામાં અભાવ છે. વળી સાધુ, માત્ર ઘર્મોપદેશના કરનારા છે તેમ ગૃહસ્થ, માત્ર ધર્મોપદેશના કરનારા નથી, તેઓ તે સાંસારિક ઉપદેશ પણ કરે છે. તારે પુત્ર નથી માટે બીજી સ્ત્રી પરણું, તારી પુત્રી મટી થઈ છે તેનાં લગ્ન કર, દાણાને, ઘી, તેલને અથવા કપાસ વિગેરેને બજાર તેજ થવાને છે તેથી તેની ખરીદી કર ઈત્યાદિ અનેક આરંભના પણું કહેનારા હોય છે તેથી ધર્મોપદેશકરૂપ ગુરૂના ત્રીજા લક્ષણને પણ તેનામાં અભાવ છે, તથા જેમ સાધુ રાત્રિ દિવસ ધર્મ વ્યાપારમાં જ રહે છે તેમ ગૃહસ્થ રાત્રિ દિવસ ધર્મ વ્યાપારમાં વર્તતા નથી, તેઓ કવચિત્ દેવપૂજાદિ ધર્મ કાર્ય માં રહે અને કવચિત ખાન ભેજન કામ વિલાય વ્યાપાર રોજગારાદિ પાપ કાર્યમાં પણ પ્રવર્તે છે. તથા ધમ માં સ્થિતિરૂપ ગુરૂના ચોથા લક્ષણુને પણ તેનામાં અભાવ છે એટલે “ઘૉ વાત જ ઘ ણા ધર્મ ” એ ચાર લક્ષણને અભાવ હોવાથી ગૃહસ્ય ગુરૂ થઈ ન શકે પ્રશ્ન–હે મહારાજ ! સાધુ પશુ આહારાદિક તે કરે છે. ભિક્ષા લાવ, વસ્ત્રાદિ ધંઈ આપ, એમ શિષ્યોને આજ્ઞા કરે છે, એટલે સ્વાય ઉપદિશે છે, નિદ્રાદિકમાં રહે છે, એટલે આપે કહેલા ચારે લક્ષણ સાધુમાં પણ નિરંતર ઘટતા નથી, તેનામાં પણ ગુરૂપણું ઘટી શકશે નહીં. ઉત્તર–હે ભવ્ય ! સાધુઓનું શરીર ધમનું સાધન છે. શરીર વિના ઘર્મ સાધી શકાય નહીં તેથી તે શરીરને ટકાવવાના કારણરૂપ આહારને વસ્ત્રપાત્રાદિ ઉ. પકરણ ગવેષીને લાવવા છેવા શિવવા પડે છે. તેમજ બહિબ્રૂ મિગમન નિદ્રાકરણ વિગેરે કરવું પડે છે પણ તે સર્વ તેને ધર્મકૃત્યજ છે. તેથી તેઓ રાતદિન ધ મે વ્યાપારમાંજ રહે છે એમ સમજવું, માટે તેનામાં કહેલાં લક્ષણો ઘટી શકે છે. પ્રશ્નહે મહારાજ ! પૂર્વકાળના ઉત્તમ સાધુઓ તેવા હતા તેથી તેમનાં બધાં કૃત્ય ધર્મ કૃત્ય તરીકે કહી શકાય પણ આ કાળમાં તે શરીરને રૂખ પુષ્ટ કરનારા શોભનિક રાખનારા, ઢીલા, શિથિલ વિહારો, પાસસ્થા ઘણું દેખાય છે; ખરે. ખરા સાધુ દેખાતા નથી, તેથી તેમના કરતાં તે ગૃહસ્થ ગુરૂ શું ખોટા છે? ઉત્તર–હે ભદ્ર એવાં વચન ન બેસવાં, એમ બેલવાથી મહા દોષ લાગે. પાંચમાં આરાના અંત સુધી વીર ભગવાને ચતુર્વિધ સંઘની સ્થિતિ કહી છે. વળી તું રૂ પુષ્ટ વિગેરે વિશેષણે વાળને દેખીને ભડકે છે પણ શાંત પરિણામ કરી તેને હેતુ સાંભળ-પૂર્વકાળે ભરતક્ષેત્રમાં પાંચ પ્રકારના નિયંઠા એટલે નિગ્રંથ વિચ. રતા હતા. પરંતુ આગમમાં આચાર પ્રાયે કષાય કુશળ નિગ્રંથને ઉચિત પ્રરૂપે છે. કારણ કે તે મધ્યમ નિગ્રંથ હોય છે. આ પાંચમાં આરામાં તે બે પ્રકારના નિ. કંઠાજ વિચારે છે. બુક્કસને કુશીલપડિલેવી તેમાં બુકકસ આગમ બેધાદિ ગુણે કાં
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy