SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ તું આજીવિકા માટે જ આ સંસારમાં યતિને વેશ ધારણ કરે છે પણ કષ્ટથી બહી જઈને શુદ્ધ ચારિત્ર પાળ નથી; પણ તને ખબર નથી કે તમામ જગતને ગ્ર હણ કરવાની ઈચ્છાવાળું મૃત્યુ અને નરક કાંઈ કઈ પણ પ્રાણીના વેશ ઉપરથી ડરી જતાં નથી. ભાવાર્થ-કેઈ અજ્ઞાની છવ સંસારના દુખથી પીડાઈ દુઃખ ગર્ભિત વૈરાગ્યને ડોળ ધારણ કરી (યતિ થયા પછી) ત્યાં પણ શ્રાવકો પાસેથી સારી સારી ગેચરી મેળવવાનેજ લેભ ૨ખે છે, પણ ચારિત્રની ક્રિયા કરતું નથી, અગાઉના શ્લેકમાં ભાવાર્થરૂપે બતાવેલું વર્તન જરાપણ કરતા નથી, પરંતુ એક નવી જાત નેજ સંસાર આરંભે છે કેટલાક નામ ધારી શ્રી પૂજ્ય અને ગેરજીએ તે ચારિત્રના પ્રાણભૂત ચતુર્થવ્રત ભંગ કરવા સુધીની હદે પણ પહોંચી જાય છે, તેઓને તે આ અધિકારમાં રહેવાની પણ જગ્યા નથી. શિથિલાચારી, એકલવિહારી, આધાકમાં આહાર લેનાર વિગેરેને કભીરૂ કહ્યા છે પરીષહ ઉપસર્ગથી ડરી જનારા યતિને ઉદ્દેશીને કહે છે કે મૃત્યુ આખી દુનિયાને કોળીઓ કરી જતું વાટ જોઈ રહ્યું છે, તેના દાંતમાંથી કોઈ બચ્યું નથી અને તેની પેલી બાજુએ ભયંકર અંધકારથી ભરેલું દુઃખનું જ સ્થળ અને કલ્પના માત્રથી પણ શરીરને ધ્રુજાવનાર નરક દેખાય છે. આ બને (મૃત્યુ અને નરક) વેશની દરકાર રાખતા નથી તેઓ એવા સર્ણ છે કે કેઈને છેડતા નથી, છતાં પણ અગાઉના લોકમાં ભાવાર્થ તરીકે કહ્યું તેવું આચ રણ કરનારા મહાત્માઓ તે તેને પણ એવા જીતી જાય છે કે પાછા ફરી વાર તેનાં દર્શન પણ ન કરે, ટુંકામાં અજર અમર થઈ જાય છે. માટે શુદ્ધ ચારિત્ર ધારણ કરી મનમાં ખુશી થજે માત્ર વેશથી રાચીશ નહિ સાધુપણાની ફરજ એક બાજુએ અને બીજી બાજુએ નારકી તથા મૃત્યુ ધ્યાનમાં રાખજે ફરજ ભૂલ્યા તે બને રાક્ષસે તૈયાર છે એ મનમાં ચેકસ રાખજે. ૨૧ કેવળ વેશ ધારણ કરનારને તે ઉલટો દેષ પ્રાપ્ત થાય છે. वेषेण माद्यसि यतेश्चरणं विनात्मन् , पूजां च वाञ्छसि जनाद्वहुधोपधिं च । मुग्धमतारणभवे नरकेऽसि गन्ता, न्यायं बिभर्षि तदजागलकर्तरीयम् ।। २२॥ હે આત્મન ! તું વર્તન (ચારિત્ર) વગર માત્ર યતિના વેશથીજ મકકમ રહે છે (અહંકાર કરે છે, અને વળી લેકેની પૂજાની અપેક્ષા રાખે છે અને અનેક પ્રકારે વસપાત્રાદિ ઉપાધિ મેળવવાની ઈચ્છા રાખે છે, તેથી ભેળા વિશ્વાસ રાખનારા લોકોને છેતરવાથી પ્રાપ્ત કરેલ નરકમાં તું જરૂર જવાનું છે એમ લાગે છે ખરેખર તું અજાગળ કર્તરી ન્યાય ધારણ કરે છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy