SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ યતિશિક્ષપદેશ–અધિકાર. ૨૫૩ પ્રમાણે-ગ ત્રણ છે મન, વચન, કાયેગ, કરણ ત્રણ છે. કરવું, કરાવવું અને અનુમોદવું. સંજ્ઞા ચાર છે; આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને મૈથુન સંજ્ઞા. ઇદ્રિય પાંચ છે, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોબેંદ્રિય, પૃથ્વીકાયા રંભાદિક દશઃ પૃથ્વીકાય આરભ, અપકાય આરંભ, તેઉકાય આરંભ, વાઉકાય આરંભ, વનસ્પતિકાય આરંભ, બે ઇંદ્રિય આરંભ, તે ઇંદ્રિય આરંભ, ચરિંદ્રિય આરંભ, પંચેન્દ્રિય આરંભ અને અજીવ આરંભ યતિ ધર્મ દશ છે. ક્ષમા, માવ, આર્જવ, નિર્લોભાણું (મુકિત), તપ, સંજમ, સત્ય, શૈચ, અકિંચનપણું અને બ્રહ્મચર્ય. આમાંના દરેકનું એકેક પદ લઈ જૂદા જૂદા ભેદ કરવાના છે. પ્રથમ ભેદ દાખલા તરીકે નીચે પ્રમાણે કરાય-“મને કરી આહારસંજ્ઞા રહિત થઈ બેંદ્રિયને સંવર કરી ક્ષમાયુકત રહી પૃથ્વીકાયને આરંભ કરે નહી.” આ વાકય કાયમ રાખી “ક્ષમાયુકત’ શબદને બદલે માર્દવયુકત વિગેરે દશ ધર્મો મૂકે ત્યારે દશ ભેદ થાય, પણ તે બધા પૃથ્વીકાય સંબંધે જ થયા. તે જ્યારે અપકાય વિગેરે ઉપર જણાવેલા દશ ભેદ સાથે દશ દશ ભેદ કરે ત્યારે સે ભેદ થાય. તે બધા શ્રેત્રે ક્રિયે થયા, અને તેવી જ રીતે બાકીની ચાર ઇદ્ર સાથે મેળવતાં પાંચસે ભેદ થાય, તે દરેકને આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન સંજ્ઞા સાથે મેળવતાં બે હજાર ભેદ થાય. મન, વચન, કાયાના પેગ સાથે મેળવતાં છ હજાર ભેદ થાય અને તેને કરવું, કરાવવું અને અનમેદવું એ ત્રણે કરણ સાથે મેળવતાં અઢાર હજાર ભેદ થાય. , આ ભેદને માટે શ્રી પ્રવચન સારોદ્ધાર ગ્રંથના પૃષ્ઠ ૩૩૯ મે ( પ્રકરણ રત્નાકર ભાગ ૩ જો) એક કેષ્ટક આપેલું છે તેની ખૂબિ એવી છે કે તે નજર આગળ રાખવાથી ૧૮૦૦૦ ગાથા બનાવી શકાય છે. જિજ્ઞાસુઓએ તે જરૂર વાંચવું, કારણ કે તે ઉપયોગી હોવા સાથે કર્તાની અપૂર્વ વિદ્વત્તા બતાવે છે, મેક્ષાથી જીવે ઉપર પ્રમાણે વર્તન કરવું જોઈએ. તું નથી કરતે સ્વાધ્યાય તેમજ નથી રાખતે સમિતિ ગુપ્તિ, વળી નજીવા કારણ સર કષાય કરી નાખે છે અને તપસ્યા કરતો નથી, તેમજ પરીષહ ઉપસર્ગ પણ સહન કરતું નથી અને સદરહુ શીલાંગ ધારણ કરતા નથી. તું જાણે છે કે મોક્ષે જવાના ઉપાય તે ઉપર કહ્યું તેમ સઝાય વિગેરે છે, તે પછી તું વાંછે છે મેક્ષ જવાનું અને કાર્ય કરે છે તેની વિરૂ હતાં. આ મેક્ષનગર દૂર છે, ત્યાં પહોંચવા માટે સંસાર સમુદ્રને પાર પામવો જોઈએ; તેને યોગ્ય નાવ તે તું તૈયાર રખતે નથી, ત્યારે તે ત્યાં કેવી રીતે જઈશ? તારે યાદ રાખવું કે વેશ માત્રથી મેક્ષ મળતું નથી, વેશાનુસાર કરણી-વર્તન જે ૧ જીવની બુદ્ધિથી અજીવને મારવાથી તેમજ ઉપકરણાદિકની પડિલેહણ નહિ કરવાથી જે આરંભ થાય તે અજીવ આરંભ કહેવાય છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy