SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પદિ યતિશિક્ષપદેશ-અધિકાર. परीषहानो सहसे न चोपसर्गान शीलाङ्गधरोऽपि चासि । तन्माक्ष्यमाणोऽपि भवाब्धिपारं, मुने ! कथं यास्यसि वेषमात्रात् ॥३॥ युग्मम् હે મુનિ! તું વિસ્થાદિ પ્રમાદ કરીને સ્વાધ્યાય (સજઝાય થાન) કરવા ઈચ્છત નથી, વિષયાદિ પ્રમાદથી સમિતિ અને ગુપ્તિ ધારણ કરતું નથી, શરીર પર મમત્વથી બને પ્રકારનાં તપ કરતો નથી, નજીવા કારણથી કષાય કરે છે, પરીષહ તથા ઉપસર્ગ સહન કરતું નથી, (અઢાર હજાર) શીલાંગ ધારણ કરતા નથી તે છતાં તે મોક્ષ મેળવવા ઈચ્છે છે, પણ હે મુનિ! વેશમાત્રથી સંસારસમુદ્રને પાર કેવી રીતે પામીશ? વિવેચન-+અત્ર વ્યતિરેકરૂપે મુનિઓએ શું કરવું જોઈએ તે કહે છે. ૧ પાંચ પ્રકારને સ્વાધ્યાય મુનિએ દરરોજ કરવો જોઈએ. વાંચના (વાંચવું તે), પૃછના ( શંકા પૂછવી તે), પરાવર્તાના (સંભારવુંરીવીઝન), અનુસા (વિચારણા) અને ધર્મ સ્થા; આ પાંચ પ્રકારના સ્વાધ્યાય છે. ૨ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ તે પ્રવચનમાતા કહેવાય છે અને સાધુપણાનું ખાસ લક્ષણ છે નિર્જીવ માર્ગે સૂર્ય ઉગ્યા પછી સાડા ત્રણ હાથ આગળ દષ્ટિ રાખી, જેઈને ચાલવું તે ઇર્ષા સમિતિ. નિરવા, સાચું, હિતકારો અને પ્રિયવચન વિચારીને બોલવું તે ભાષા સમિતિ, અન, પાણિ વિગેરે બેંતાળીશ દેષ રહિત લેવાં તે એષણ સમિતિ. કઈ પણ વસ્તુ જીવ રહિત ભૂમિ જોઈને તથા પ્રમાર્જના કરીને મૂકવી કે લેવી એ આદાન ભંડમા નિક્ષેપણું સમિતિ. મળ, મૂત્રાદિ છવ રહિત ભૂમિએ તજવાં તે પારિષ્ઠાપનિકા સમિતિ. મનપુર અશુભ ચિંતવન માટે પૂર્ણ અંકુશ રાખવે અથવા સર્વથા મનોવ્યાપાર નકરે એ માગુપ્તિ. કઈ પણ પ્રકારનું સારું કે ખરાબ વચન બેલવું નહિ અથવા સવિઘ વર્ષ નિરવદ્ય બોલવું તે વચન ગુપ્તિ. કાયાને અજ્યમાં પ્રવર્તાવવી નહિ અથવા સર્વથા પ્રવર્તાવવી નહિ તે કાય ગુપ્તિ. ૩ સાધુએ બે પ્રકારનાં તપ કરવાં જોઈએ. બાહત૫–ઉપવાસાદિ કરી બીલકુલ ખાવું નહિ, ઓછું ખાવું, ઓછી વસ્તુઓ ખાવી, રસવાળી વસ્તુઓ ઘી વિગેરે ન ખાવાં, કર્મ ક્ષય કરવા માટે શરીરને કષ્ટ આપવું અને અંગોપાંગ ઇન્દ્રિઓ અને મનને સંકેચી રાખવા આ ધૂળતપ કહેવાય છે. અત્યંતરતપ–કરેલ પાપકૃત્યનું પ્રાયશ્ચિત લેવું, જિનદિ દશને યથાયોગ્ય વિનય કર, જિનાદિ દશનું યંગ્ય વૈયાવચ્ચ કરવું, વાંચના વિગેરે
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy