SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ તૃતીય સ) માંથી થયેલો (બનાવેલ)વીણ દંડ ને તુંબડીના ફળ (તંબુર)ની સાથે સંયોગ ન હોય, તે તે મહિમાને પામતો નથી. (અર્થાત્ સારા વાંસમાંથી બનાવેલ, નકશી કામથી કતરેલ એ જે સારંગીને દંડ, ગુણ-લોઢાના તાર વાળો હોય પણ જે સત્સંગ રૂપી તુંબડામાં બેસતે કરેલ ન હોય તે સારી રીતે વાગવામાં ઉપયોગી નથી.) ૧૪ * સજ્જનના સંગથી દુ:સાધ્ય તે સુસાધ્ય થાય છે. ૩પજ્ઞાતિ असज्जनः सज्जनसङ्गिसङ्गात्करोति दुःसाध्यमपीह साध्यम् । पुष्पाश्रयाच्छम्भुशिरोऽधिरूढा, पिपीलिका चुम्बति चन्द्रबिम्बम् ॥१५॥ દુષ્ટ પુરૂષ, મહા કષ્ટથી જે કાર્ય ન સાધી શકાય તે સજજને સંગ કરનારાના સુસંગથી સાધી શકે છે, જેમકે પુષ્પમાં રહેલી કીડી પુષ્પની સાથે જ્યારે શંભુના મસ્તક ઉપર ચઢે છે ત્યારે તેમના મસ્તક ઉપર બીરાજતા ચંદ્રબનું ચુંબન કરે છે. ૧૫ સત્સંગ શું કરી શકતો નથી? વરસન્તરિત્ર. (૧૬ થી ૧૯) जाडयं धियो हरति सिञ्चति वाचि सत्यं, मानोन्नति दिशति पापमपाकरोति । चेतः प्रसादयति दिक्षु तनोति कीर्तिम् , सत्सङ्गतिः कथय किन्न करोति पुंसाम् ॥ १६ ॥ પુરૂષને સત્સંગ શું (ફાયદે) નથી કરત? જેમકે સત્સંગ બુદ્ધિની જડતાને હરે છે, વાણીમાં સત્યતાનું સિંચન કરે છે, માનથી ઉન્નત્તિ અપાવે છે, પાપને દૂર કરે છે, ચિત્ત પ્રસન્ન કરે છે, અને દિશાઓમાં કીર્તિને ફેલાવે છે (અર્થાત્ સત્સંગથી સર્વ ફાયદા જ છે.) ૧૬ સત્સંગ નિષ્ફળ નથી. किं वा परेण बहुना परिजल्पितेन, सत्सङ्ग एव महतां महते फलाय । अम्भोनिधेस्तटरुहास्तरवोऽपि येन, वेलाजलोच्छलितरत्नकृतालवालाः ॥ १७ ॥ જ જેનેતરઉક્તિ.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy