SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. તીય सुसङ्गति-अधिकार. વિશ્વમાં સત્સંગને સર્વ ધર્મ ચુસ્ત પુરુષે એક સરખી રીતે પ્રસન્ન થઈ માન આપી રહ્યા છે, એટલે સત્સંગ કરવામાં કે ઈપણ બે મત નથી, પરંતુ દરેક ધર્મના અનુયાયી મંડલમાં સત્સંગ કરનારા ઘણા થોડા હોય છે, અને કુસંગી ઘણા હોય છે, તેથી ધમને પણ દૂષિત કરવાના આરોપો ઉદ્ભવે છે, સત્સંગના મહાસ્યની એટલી બધી પ્રસંસા શાસ્ત્રમાં કરવામાં આવી છે, કે તે મેક્ષ સુખને પણ મેળવી આપે છે, ત્યારે ધન, પુત્ર, સ્ત્રી ઉત્તમ ભૂષણે, સ્વર્ગ વગેરે તેનાથી પ્રાપ્ત થાય તેમાં શું આશ્ચર્ય? આમ સર્વત્ર સત્સંગની પ્રશંસા દશ્ય થાય છે, તે બાબતમાં સજજન મહાશયેનું ચિત્ત આકર્ષવા ટુંક વર્ણન કરવામાં આવે છે. આ અધિકારના પેટાભાગમાં “મહાપુરૂષના સંગમાં વિપત્તિ પ્રાપ્ત થાય તે પણ સારૂં” “સંગતિફળ આ નામના બે અધિકારે દાખલ કરવામાં આવ્યા છે. તે આ અધિકારની સાથે એકીભૂત હોવાથી તે બાબત વિશેષ નહિ લખતાં આ અધિકાર આરંભ કરવામાં આવે છે. શાન્ત પુરૂષના દર્શનને પ્રભાવ. અનુષ્ટ્રમ્ (૧ થી ૧૩) सौम्यस्य दर्शने नूनमाः स्यात्कठिनोऽपि हि । चन्द्रालोकेन किं न स्यात्पाषाणेऽपि जलद्रवः ॥ १।। શાન્ત પુરૂનાં ખરેખર દર્શનથી કઠિન મનુષ્ય પણ આÁ (દ્રવીભૂત–પીગળેલ હદયવાળ) થઈ જાય છે. દષ્ટાન્ત આપે છે કે-ચન્દ્રના દર્શનથી (ચન્દ્રકાન્ત નામના) પાષાણમાંથી પણ શું જળ (પાણી) તુલ્ય દ્રવ (રસ) નથી નીકળતે? અર્થાતુ કે ચન્દ્રના દર્શનથી ચન્દ્રકાન્ત મણિ–પાષાણુ છે તે પણ તે રસ થઈ જાય છે તેમ કઠિન મનુષ્ય પણ સજનના દર્શન માત્રથી પીગળી જાય છે. ૧ , દુજેન સત્સંગથી સજજન થાય છે. मळ्याचलगन्धेन, विन्धनं चन्दनायते । तथा सज्जनसङ्गेन, दुजेनः सज्जनायतें ॥॥ જે પ્રમાણે લાકડું, મલયાચલમાં રહેલ ચંદનના લાકડાથી સુગધીવાળું થઈ ચંદન થાય છે, તે પ્રમાણે સપુરૂષના સંગથી દુર્જન પણ સજજન થાય છે. ૨ ૬. હું ૨ થી ૫ સુભાષિતરત્ન ભાંડાગાર.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy