________________
સંવેગ દીક્ષા અને વિહાર. गुणेषु क्रियतां यतः किमाटोपैः प्रयोजनम्
विक्रियन्ते न घंटाभिर्गावः क्षीरविवर्जिताः ગુણમાં યત્ન કર, ડોળાનું પ્રયોજન શું છે? કેમકે જેમ દૂધ વિનાની માયને ઘંટા વડે શણુગારવાથી કોઈ ખરીદતું નથી તેમ ગુણ વિનાને આડંબર નક્કામે છે.
આ પ્રમાણે તત્તરૂચી થવાથી પાટણમાં તેમને કાર્તિક વદી ૧૦ ના રોજ સંવેગ દીક્ષા આપવામાં આવી ને ત્યારથી તેઓ શ્રી વિનયવિજય
જી મહારાજના નામથી ઓળખાવા લાગ્યા. આ પ્રમ્રગે પાટણમાં આચાર્ય શ્રી વિજયકમનસૂરિજી તથા પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ શિષ્ય સમુદાય ના મોટા પરિવાર સાથે હતા.
આ પ્રસંગ વિહાર હતું એટલે તુર્તજ ત્યાંથી વિચારવાનું હતું, તેથી સૂરિશ્વરની આજ્ઞાનુસાર ગુરૂ ઉપાધ્યાય શ્રી વિરવિજયજી, પન્યાસ શ્રી દાનવિજયજી, પ્રેમવિજયજી તથા વિનયવિજયજી વગેરે સંવેએ વડેદરા તરફ વિહાર કર્યો, અને અનુક્રમે માસું છાણુમાં કર્યું.
અભ્યાસ પ્રત્યે પૂર્ણ પ્રેમ હેયને વિનયવિજયજી મહારાજે પ્રથમથી જ દશકાલીક, ઉત્તરાધ્યયન, વગેરે કેટલાક શાસ્ત્રનું અધ્યયન કર્યું હતું અને તેથી તપગચ્છના પંચપ્રતિક્રમણ મેંએ કરી સારસ્વત વ્યાકરણ શિખવાને લાભ લીધે અને ચોમાસા પછી ૧૫૯ માં ગુરૂ આજ્ઞાનુસારે ઉઝે ગયા. કે જ્યાં આચાર્ય શ્રી વિજયકમલસૂરિ, ઉપાધ્યાય શ્રી વિરવિજ્યજી, પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, શ્રીમને મુનિ હંસવિજયજી વગેરે મુનિશ્વર પિતાના શિષ્ય સમુદાય સાથે નવદિક્ષિત મુનિ વર્ગને રોગ વહેવરાવવા એકત્ર થયા હતા. અને તેથી ત્યાં વિધિસહ ગહનની ક્રિયા પૂર્ણ થવાથી સર્વ સાથે વિનયવિજયજી મહારાજને મહા સુદી ૫ ના રોજ વડી દીક્ષા આપવામાં આવી.
મહારાજ શ્રી વિનયવિજયજીને વિહાર ગુરૂ શ્રી ઉપાધ્યાય વિરવિજયજીની સાથે જ આગળ શરૂ થયે, અને અનુક્રમે પાલણપુર તે ચોમાસુ થયું. તેમને અભ્યાસ ૫. દાનવિજયજી, મુનિ ચતુરવિજયજી તથા મુનિ પ્રેમવિજયજી પાસે આગળ શરૂ હતું. અને વળી તેઓએ મુળ દિક્ષા લીધેલી ત્યારથી હમેશાં એકજ વખત અહાર લેતા તેથી મગજને દુઃખાવે શરૂ થયે. આ વ્યાધિથી તેમના ગુરૂએ શરીર સંભાળવા ભલામણ કરી. પરંતુ પુન્યના ઉત્કૃષ્ટ પ્રભાવ માટે દઢ ભાવનાથી તેમણે એકાસણું કરવાની પદ્ધતિ શરૂજ રાખી અને તે નિશ્ચય છેઅત્યાર સુધી જાળવતા રહ્યા છે, એટલું જ નહિ પણ પ્રાયશઃ વિગય (ઘી) પણ વાપરતા નથી, તેમજ કેરીને હમે