________________
પરિદ. - સુજન, સુજન દુર્જનતા-અધિકાર.
૧૫ પ્રાણિની હિંસા કરવી નહિ, પરધન ચેરવું નહિ, સત્ય બોલવું, સમય આવે શક્તિ પ્રમાણે દાન કરવું, પરસ્ત્રી સાથે વાત કરવી નહિ, તૃષ્ણને નાશ, ગુરૂજી તરફ વિનય, સર્વ પ્રાણિ ઉપર દયા, ઉપરના સર્વ નિયમો સર્વ શાસ્ત્રને માન્ય છે તે ઉપરથી સિદ્ધ થાય છે કે કલ્યાણને રસ્તે આજ છે. ૩૦
સજ્જનો કેને વન્દનીય નથી? नम्रत्वेनोन्नमन्तः परगुणकथनैः स्वान्गुणान्ख्यापयन्तः, स्वार्थान्सम्पादयन्तो विततबहुतरारम्भयत्नाः परार्थे । क्षान्त्यवाक्षेपरूक्षाक्षरमुखरमुखान्दुर्जनान्दुःखयन्तः,
सन्तः साश्चर्यचर्या जगति बहुमता कस्य नाभ्यर्थनीयाः ॥३१॥ જેઓ બીજાને નમવાથી મોટાઈ પામેલા, બીજાના ગુણુના વખાણ કરવાથી પિોતે પ્રખ્યાત થયેલા, પરોપકાર વૃત્તિથી કરેલ કાર્યને લીધે સ્વાર્થને સાધનારા, (ઈશ્વરની કૃપાવાળા) મુખથી અપમાનના કઠોર અક્ષર બેલનારા મૂર્ખને જેઓ તિતિક્ષા (શાંતિ) ગુણથી દુઃખી કરનારા (મૂર્ખને લજજાળ કરનારા) જગમાં બહુમાન પામેલા, એવા આશ્ચર્ય યુક્ત આચરણવાળા સંત પુરૂષોની ફેણ પ્રાર્થના ન કરે? (અર્થાત્ સર્વ પ્રાર્થના કરે) એ ભાવે છે. ૩૧
છો . કામ વિચાર કરે, ડરે નહિ તે જન ડાહ્યો, ગુણનો ન ધરે ગર્વ, સર્વથી હેય સવા; વડું ન વાવે વેર, ઝેરની જીભ ન રાખે, મધુર વચનનાં મિષ્ટ, ચતુર થઈને ફળ ચાખે; વળી કળાય નહિ તે કેઈથી, પરને પામે પાર છે, દુનિયામાં તે દલપત કહે, ડાહ્ય ડહાપણદાર છે. ૩૨
सुजन दुर्जनता-अधिकार,
જગતમાં વસ્તા અનેક મનુષ્યનો સ્વભાવ અને વર્તન એક સરખું હોઈ શકતું નથી, ઉપર જોયેલ ગુણવાળ સજજન પુરૂષ હોય છે, તેમ જગતમાં દુર્જને પણ છે તેના સંબજમાં દરેક વ્યક્તિએ જાણવું જ જોઈએ કારણકે, અનેક દુર્જને કેવા હોય છે તેનું જ્ઞાન તેના રૂપ ઉપરથી થતું નથી, પરંતુ તેના ઉત્તમામ ગુણ ઉપરથી