SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीय परिच्छेद. દ્વિતીય પરિચદમાં સુસાધુની એલખ વિષે ટુંક વર્ણનમાં સ્થિરતા કેને કહેવી. તૃપ્તિ કેમ ધારણ કરવી, સંસારમાં નિર્લેપ કેમ રહેવું, દરેક પદાર્થમાં નિસ્પૃહતા કેમ રાખવી, સર્વ પ્રાણીઓથી નિર્ભય કેમ રહેવું, સંસારમાં ખરૂં તત્વ શું છે. સર્વ સમૃદ્ધિ કેને કહેવી તથા આ સર્વ મહદ ભાવનાનું સ્વરૂપ પ્રાપ્ત થયેલ ગુરૂનું વર્ણન જેવાથી સાધુપુરૂષમાં રહેલી સરલતા, ભાષા બોલવાની ઢબ, અને ઉપદેશ શ્રેણીને અનુભવ થઈ શકેલ હશે દરેકને સુખી અને શ્રેષ્ઠ થવાને ઈચ્છા હોય છે, પરંતુ તે સ્થિતિએ પહોંચવામાં ધેર્ય, નિસ્પૃહતા અને નિરાભિમાન વૃતિની જરૂર છે આ પ્રમાણે મનુષ્ય તરીકે ઓળખાવાને જે લાયકાત પ્રાપ્ત કરવી જોઈએ તેના માટે યોગ્ય થવા પૂર્વે મનુષ્ય તરીકેની ગણના થવી પણ મુશ્કેલ છે, તે પછી તેમના માટે ઉપરોક્ત સાધુ સ્થિતિ કેટલી દૂર થઈ પડે? આટલા માટે મનુષ્ય તરીકે યેગ્ય ગણત્રીમાં મૂકિ શકાય તેવા (જીજેન) ના સબંધમાં વિવેચન કરવું યોગ્ય થઈ શકશે. સંસાર વ્યવહારમાં રહેવા છતાં ઉચ્ચવર્તન અને ઉત્કૃષ્ટ ભાવનાથી સંસારીસાધુ જીવન ભાગવતા જોવાય છે. એટલું જ નહિ પણ સંસારમાં ગૃહસ્થ ભાવે રહીને સુજન પંક્તિને એગ્ય સદગુણનું સેવન કરવાથી ક્રમે ક્રમે મનેબલ ટ્રસ્ટ થતાં ભાવના નિર્મલ થવાથી સાધુ પુરૂષના પદને પહોંચવા ને પણ ગ્ય અવ. સર પ્રાપ્ત થઈ શકે છે. તેથી સુસાધુના પદને પ્રાપ્ત કરવામાં નિસરણીરૂપ સુજન અધિકારને અત્રે આરંભ કરવામાં આવે છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy